અમદાવાદ: સુરતમાં થોડા સમય પહેલા એરપોર્ટના રનવે પર ભેંસ અને વિમાનની ટક્કર થઈ ગઈ હતી. હવે આવું જ કંઈક અમદાવાદમાં થતાં-થતાં રહી ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ તો ઘણી વાર બની ગઈ છે, પરંતુ આ વખતે એક ગાય રનવે સુધી પહોંચી જતાં એરપોર્ટનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો.
બુધવાર રાતની ઘટના
આ ઘટના બુધવારે રાત્રે બની હતી. ગાય છેક રનવે સુધી પહોંચી જતાં એરપોર્ટ પર વિમાનોની અવરજવર તાત્કાલિક અસરથી રોકી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટોનો ટ્રાફિક જ વધારે રહેતો હોય છે, તેવામાં ગાય રનવે પાસે દેખાતા દોઢ કલાક સુધી વિમાનોની અવરજવર અટકાવી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાયા
અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે એક ગાય રનવે પર પહોંચી ગઈ હતી. જેના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટોના આવાગમનને અસર થઈ હતી. આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે, અને તેનો રિપોર્ટ પણ મગાવાયો છે.
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.