એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1034 કેસ, કુલ આંકડો 67,811 પર પહોંચ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 27 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 2,584 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા.

I am Gujarat 6 Aug 2020, 7:55 pm
ગુજરાતમાં દિવસેને દિવસે સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1034 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો 67,811 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 27 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 2,584 થયો છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 917 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat pablo (5)
પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના નવા કેસ અને ડિસ્ચાર્જની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે.

સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં કુલ કોરોના વાયરસના કુલ 1,964,536 કેસ નોંધાયા છે અને કુલ 40,699 દર્દીઓના મોત થયા છે. કુલ 1,328,336 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Read Next Story