એપશહેર

કયા વાવાઝોડાંને લીધે ગુજરાતમાં શિયાળામાં પણ પંખા ચાલુ કરવા પડી રહ્યા છે?

દિવાળી બાદ થોડા દિવસ પડેલી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ, હાલ રાત્રે પણ ઉંઘવું પડે તેવી સ્થિતિ

I am Gujarat 4 Dec 2020, 4:08 pm
અમદાવાદ: દિવાળી બાદ પડેલી કડકડતી ઠંડી છેલ્લા કેટલાક દિવસથી જાણે ગાયબ થઈ ગઈ છે. તેમાંય ગુજરાતમાં તો બપોરે તો ઠીક, રાત્રે પણ પંખા ચાલુ કરીને ઉંઘવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ વખતે ડિસેમ્બર બેસી ગયો હોવા છતાં કડકડતી ઠંડી નથી પડી રહી, તેનું કારણ છે બુરેવી વાવાઝોડું.
I am Gujarat december started but why mercury is so high in gujarat
કયા વાવાઝોડાંને લીધે ગુજરાતમાં શિયાળામાં પણ પંખા ચાલુ કરવા પડી રહ્યા છે?


આ વાવાઝોડું આમ તો છેક બંગાળની ખાડીમાં સર્જાયું છે, અને તેની ગુજરાતમાં કોઈ અસર પણ નથી થવાની. જોકે, વાવાઝોડાંને કારણે ગુજરાત પરથી વાતા પવનોની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં શિયાળાની હજુ સુધી જમાવટ થઈ શકી નથી.

સામાન્ય રીતે ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય ત્યારબાદ ગુજરાતમાં પણ કડકડતી ઠંડી પડતી હોય છે. આ વર્ષે હિમવર્ષા તો શરુ થઈ ગઈ છે, પરંતુ બુરેવી વાવાઝોડાંને કારણે ગુજરાતમાં ઉત્તર તરફથી નહીં, પરંતુ દક્ષિણ-પૂર્વ દિશામાંથી પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે તાપમાનનો પારો ઉંચકાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુરેવી વાવાઝોડું નબળું પડતાં જ રાજ્યમાં ઉત્તર દિશા તરફથી પવન ફુંકાવાના શરુ થશે, અને તે સાથે જ કડકડતી ઠંડી પડવાની શરુઆત થશે. જોકે, આગામી 10 ડિસેમ્બર સુધી અમદાવાદના હવામાનમાં ખાસ ફરક પડે તેવી સંભાવના નહિવત છે. હવામાન ખાતું જણાવે છે કે શહેરમાં 10 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 16-18 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દિવસનું તાપમાન 33-34 ડિગ્રી વચ્ચે રહેશે.

સુરતમાં પણ 10 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 18-20 ડિગ્રીની વચ્ચે રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. રાજકોટમાં આ ગાળા દરમિયાન દિવસનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે રાત્રીનું તાપમાન 16-18 ડિગ્રી વચ્ચે રહેશે. વડોદરામાં આગામી છ દિવસ સુધી લઘુત્તમ તાપમાન 16-19 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.

Read Next Story