એપશહેર

નવરાત્રીને કારણે સ્કૂલ-કૉલેજોમાં પાંખી હાજરી, માંડ 50 ટકા વિદ્યાર્થીઓ આવે છે

Ahmedabad Mirror 7 Oct 2019, 9:52 am
હરિતા દવે, અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જ કંઈ અલગ હોય છે. ઢોલના તાલે નાચવાનું અને ગરબા પૂરા થાય એટલે બહાર ખાવા-પીવા જવાનું. આ જ કારણે નવરાત્રી દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કૉલેજમાં હાજરીમાં 50 ટકાથી વધુનો ડ્રોપ જોવા મળ્યો છે જ્યારે સ્કૂલમાં 20 ટકાથી 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ વખતે પહેલા બે નોરતા વરસાદને કારણે ધોવાઈ જતા યુવાનો બચેલા સાત દિવસની પૂરેપૂરી મજા માણવા માંગે છે. આથી જ વર્ગખંડમાં તેમની હાજરીમાં ઘટાડો જોવા મળ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોએચ.એ કૉલેજ ઑફ કોમર્સના પ્રિન્સિપાલ સંજય વકીલ જણાવે છે, “વિદ્યાર્થીઓની હાજરીમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે. સિલેબસ અને પરીક્ષા પૂરા થઈ ગયા છે. એટલે વિદ્યાર્થીઓ કૉલેજને હળવાશમાં લઈ રહ્યા છે અને નવરાત્રી એન્જોય કરી રહ્યા છે. ઈન્ટરનલ પરીક્ષા હાલમાં જ પતી છે અને અત્યારે ફક્ત રિટેસ્ટ ચાલે છે.”GLS ઈન્સ્ટિટ્યુટ ઑફ કોમર્સમાં દરેક વીતતા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. આસિસ્ટન્ટ પ્રોફેસર હીરલ જાની જણાવે છે, “નવરાત્રી દરમિયાન હાજરી ઘટી જ જાય છે. અત્યારે રેમિડિયલ પરીક્ષા ચાલી રહી છે જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ આવે તેવી અપેક્ષા હતી પરંતુ નવરાત્રીને કારણે ફક્ત 70 જેટલા વિદ્યાર્થીઓ જ આવ્યા હતા. અમે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઝોકા ખાતા પણ જોયા છે.”નવરાત્રીને કારણે કૉલેજના લેક્ચર બંક કરનાર વિદ્યાર્થી માલવ બારિયા જણાવે છે, “હું મારા ગૃપની છોકરીઓને ઘરે ડ્રોપ કર્યા બાદ રાત્રે સાડા ત્રણ વાગે ઘરે પહોંચું છું. સૂતા ચાર વાગી જાય છે. આથી સવારે વહેલા ઊઠીને લેક્ચર અટેન્ડ કરવા અઘરા બની પડે છે. કૉલેજ પણ નવરાત્રી દરમિયાન થોડું હળવુ વલણ અપનાવે છે.”અમદાવાદ ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (AIT)માં હાજરીમાં 60 ટકા ઘટાડો જોવા મળ્યો છે. રજિસ્ટ્રાર વિરંચી પંચાલ જણાવે છે, “60 ટકા વિદ્યાર્થીઓ રોજ લેક્ચર બંક કરે છે. પહેલા બે દિવસ વરસાદ પડ્યો એટલે બાકીના દિવસોમાં વિદ્યાર્થીઓ પૂરેપૂરી મજા માણી રહ્યા છે.”ન્યુ એલ જે કૉલેજના ફોર્થ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થી વિશાલ મશરૂએ મિરરને જણાવ્યું, “નવરાત્રી મારો પ્રિય તહેવાર છે. હું આખું વર્ષ નવરાત્રી આવવાની રાહ જોતો હોઉં છું. સદનસીબે મારી કૉલેજ નવરાત્રીમાં રજા આપે છે, નહિ તો મોડી રાતની મજા માણવા મારે કૉલેજ બંક કરવી પડત.” નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCG), HK આર્ટ્સ કૉલેજ, કર્ણાવતી અને ગણપત યુનિવર્સિટીમાં પણ આવી જ સ્થિતિ છે.સ્કૂલની વાત કરીએ તો હાજરીમાં કૉલેજ કરતા પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે. ત્રિપદા સ્કૂલના પ્રિન્સિપાલ રાકેશ પટેલ જણાવે છે કે હાજરીમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ નવરાત્રીમાં તે પણ કડક વલણ નથી અપનાવતા. પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીનારાયણ પીસી જણાવે છે, “આજ કાલ શાળામાં ફક્ત 70થી 75 ટકા હાજરી હોય છે. અમે વિદ્યાર્થીઓ મોડા આવે તો પણ તેમને ક્લાસમાં બેસવા દઈએ છીએ. નવરાત્રી એક એવો તહેવાર છે જે બાળકો પરિવાર સાથે ઉજવે છે. આથી અમે નવરાત્રી પહેલા જ પરીક્ષા લઈ લીધી હતી.” એશિયા ઈંગ્લિશ સ્કૂલ, હીરામણી સ્કૂલ, SGVP સ્કૂલ, વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ, સીએન વિદ્યાવિહાર, SSRVM, નિર્માણ સ્કૂલ, પંચવટીમાં પણ વિદ્યાર્થીઓની હાજરી ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

Read Next Story