એપશહેર

જરૂર પડ્યે યુપી, એમપી જેવો એન્ટિ લવ જેહાદ કાયદો લાવવા વિચારીશું: નીતિન પટેલ

ભવિષ્યમાં જરૂર પડશે તો ગુજરાત સરકાર પણ ગંભીરતાથી વિચારણા કરી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારની પદ્ધતિ પ્રમાણે કાયદો ગુજરાતમાં બનાવી શકાય કે કેમ તે અંગે વિચારણા કરશે.

I am Gujarat 15 Jan 2021, 7:54 pm
અમદાવાદ: દેશમાં ઉત્તરપ્રદેશ બાદ કેટલાંક રાજ્યો લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવા વિચાર કરી રહયાં છે. અને ગુજરાતમાં પણ બે સાંસદ તેમજ એક ધારાસભ્યએ લવ જેહાદ વિરુદ્ધ કાયદાની માગ કરી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે દરેક વ્યક્તિ-પરિવાર, તેમનો ધર્મ-સંસ્કૃતિ, માતા-પિતાનો પ્રેમના આધારે સમાજ ચાલતો હોય છે અને રાષ્ટ્ર પણ ચાલતું હોય છે. પરંતુ, કેટલાંક અણસમજુ લોકો, કેટલાંક હિન્દુ યુવતીઓને ફસાવી, લલચાવી, છેતરી કે પછી બીજી રીતે ગેરમાર્ગે દોરી લોભ-લાલચમાં કે અણસમજમાં હિન્દુ છોકરીઓ સાથે જે લગ્ન કરે છે ત્યારપછી અમારા બધાના ધ્યાનમાં આવ્યું છે અને આપણા બધાના પણ ધ્યાનમાં આવ્યું છે કે મોટા પ્રમાણમાં તે છોકરીઓ નાસીપાસ થાય છે અને આખી જિંદગી જ્યાં સુધી ત્યાં રહે ત્યાં સુધી દુ:ખી થાય છે, તેમના માતા-પિતાને પણ આજીવન દુ:ખ થાય છે અને સમાજમાં અશાંતિની ભાવના ફેલાતી હોય છે. આવું બધું ના થાય તે દેશની એકતા માટે, બધાએ સાથે-મળીને વ્યવહારની ભારતની જે પરંપરા છે તે માટે ખૂબ જરૂરી છે.
I am Gujarat q3


પરંતુ, કેટલાંક નાદાન, અણસમજુ અને ખાસ કરીને અને જે લોકો બીજા ધર્મની દીકરીઓ સાથે અણછાજતો જે વ્યવહાર કરે છે તેવા લોકોના કારણે જે જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો વચ્ચે અશાંતિ ફેલાય છે અને તેના કારણે કયાંક-ક્યાંક મોટો ઉશ્કેરાટની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. તે આપણે બધાએ આખા દેશમાં જોયેલું છે. એટલે આવું બધું અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં આવા લગ્નો ન થાય એ માટે, તેને રોકવા માટે જે કાયદો બનવવામાં આવ્યો છે એ જ પ્રમાણેનો કાયદો બનાવવા માટે ગુજરાત સમક્ષ પણ, મુખ્યમંત્રી સમક્ષ પણ અને અમારા બધા સમક્ષ પણ અનેક વ્યક્તિઓ, અનેક સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે જે કાયદો બનાવ્યો છે, તે કાયદાની અસરકારકતા અને તેના લાંબાગાળાના પરિણામ અને કાયદેસરતા અંગે પણ અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે, ગુજરાતના જે વિવિધ સંગઠનો છે, વિવિધ અગ્રણીઓ છે તેમની જે લાગણી-માગણી છે, તેના અંગે પણ ભવિષ્યમાં જરૂર પડશે તો ગુજરાત સરકાર પણ ગંભીરતાથી વિચારણા કરી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારની પદ્ધતિ પ્રમાણે કાયદો ગુજરાતમાં બનાવી શકાય કે કેમ તે અંગે વિચારણા કરશે.

Read Next Story