એપશહેર

ગાંધીનગરના કેથોલિક પાદરીને ઈલેક્શન કમિશને આપી નોટિસ

Mitesh Purohit | TNN 27 Nov 2017, 8:38 am
I am Gujarat eci issued notice to catholic archbishop of gandhinagar thomas macwan
ગાંધીનગરના કેથોલિક પાદરીને ઈલેક્શન કમિશને આપી નોટિસ


ગાંધીનગરના પ્રમુખ કેથોલિક પાદરીને ચૂંટણી પંચની નોટિસ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશન તરફથી ગાંધીનગરના કેથોલિક આર્કબિશપ થોમસ મેકવાનને વિવાદિત વીડિયો બાબતે નોટિસ પાઠવી છે. આ પ્રમુખ કેથોલિક બિશપનો એક વીડિયો તાજેતરમાં વાયલર થયો હતો જેમાં તેમણે ગાંધીનગરના પોતાના પ્રમખ ચર્ચ હેઠળ આવતા જુદા જુદા ચર્ચ અને પાદરીઓને ચૂંટણી બાબતે વિવાદિત આપતો પત્ર લખ્યો હતો.

રાષ્ટ્રવાદી તાકતોથી દેશને બચાવવાની કરી લોકોને અપીલ

પોતાના પત્રમાં તેમણે પાદરીઓને કહ્યું કે, ‘દેશના લોકતાંત્રને રાષ્ટ્રવાદી તાકતોથી બચાવવા માટે પ્રાર્થના કરે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે આજે દેશમાં લઘુમતિ, OBC, SC અને ST, દલિત અને મુસ્લિમોમાં એક ભયની લાગણી છે.’ રાજકીય વર્તુળોમાં આ પત્રે ભાજપ વિરુદ્ધ વોટ આપવા માટે લોકોને અપીલ કરતો ગણવામાં આવી રહ્યો છે.

ઇલેક્શન કમિશનની સૂચનાથી જિલ્લા કલેક્ટરે પાટવી કારણ દર્શાવો નોટિસ

ગાંધીનગર કલેક્ટર સતિશ પટેલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ પ્રમુખ પાદરી થોમસ મેકવાનને નોટિસ ફટકારી છે. તેમજ આ પ્રકારના પત્ર તથા વીડિયો પાછળ સત્તાવાર રીતે તેમનો આશય સ્પષ્ટ કરવા જણાવ્યું છે.’

રીપ્રેઝન્ટેશન ઓફ પીપપલ્સ એક્ટ મુજબ નોંધાઈ શકે છે ફરીયાદ

પટેલે વધુંમાં જણાવ્યું કે, ‘રીપ્રેઝન્ટ ઓફ પીપલ્સ એક્ટ મુજબ આપવામાં આવેલ આદર્શ આચારસંહિતા અનુસાર કોઈપણ ધર્મગુરુ દ્વારા કોઇપણ જાતની એવા નિવેદન અથવા અપીલ કે જેનાથી મતદાતા કોઈ ખાસ પાર્ટી તરફ વોટ કરવા પ્રેરિત થાય છે તેવા સંજોગોમાં આવું નિવેદન અથવા પ્રવચન અથવા અપીલ ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ક્રુટિની કરવામાં આવે છે. એકવાર પાદરી મેકવાન આ નોટિસનો જવાબ આપશે ત્યાર બાદ તેને ઇલેક્શન કમિશનને પાઠવી દેવામાં આવશે. જે બાદ કમિશન આગળની કાર્યવાહી નક્કી કરશે.’

પત્ર લખી પોતાની નીચેના તમામ ચર્ચના પાદરીઓને કરી હતી આ આપીલ

તેમણે વધુમાં કહ્યું કે, ‘પત્રનું લખાણ જોતા લઘુમતિ સમાજના મતદારોને કન્ફ્યુઝનમાં નાખીને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે પ્રમુખ કેથોલિક પાદરી મેકવાને પોતાના 21 નવેમ્બરના સત્તાવાર પત્રમાં લખ્યું હતું કે, ‘આપણે ચર્ચ અને કોન્વેન્ટ્સમાં પ્રાર્થના સભા કરવાની જરુર છે જેથી આપણે આગામી ચૂંટણીમાં એવા લોકોને ચૂંટી શકીએ કે જેઓ ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને ભેદભાવ વગર દરેક લોકોનું ધ્યાન રાખે.’

નામ લીધા વગર કર્યા હતા આક્ષેપો

તેમણે વધુમાં કહ્યું કે, ‘હાલના દિવસોમાં લોકોના માનવાધિકારોનું હનન થઈ રહ્યું છે. બંધારણીય હક્કો છીનવાઈ રહ્યા છે. એક પણ એવો દિવસ નથી કે જેમાં ચર્ચ પર અથવા તેના વિશ્વાસુ લોકો પર હુમલો ન થતો હોય.’ પ્રમુખ બિશપે લોકોને હોલી રોઝરીની પ્રાર્થના કરવા અને વધુને વધુ લોકોને આ પ્રાર્થનાસભા માટે પ્રોત્સાહિત કરવા આહ્વાહન કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો