એપશહેર

અમદાવાદ: BRTS રૂટ પર એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત, ડ્રાઈવર ફરાર

સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીનું એસટી બસની અડફેટે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Agencies 6 Sep 2020, 2:31 pm
અમદાવાદ: લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા લાગુ થતાં ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં BRTS રૂટ પર દોડતી એસટી બસની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
I am Gujarat 10


બેફામ આવતી એસટી બસે વૃદ્ધને અડફેટે લીધા
મીડિયા રિપોર્ટ મુજબ CTM ગ્રીનમાર્કેટ સામે આજે BRTS રૂટ પરથી પસાર થતીં એસટી બસની ટક્કરે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. વિગતો મુજબ વૃદ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે તેમને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થયો
રિપોર્ટ મુજબ 65 વર્ષીય નાનગરામ મીણા CTMના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ચા પીવા માટે ગયા હતા. જોકે પરત BRTS ટ્રેકમાં ઝીબ્રા ક્રોસિંગ પર રોડ ક્રોસ કરતી વખતે BRTS રૂટ પરથી પસાર થતી એસટી બસે તેમને અડફેટે લીધા હતા. જેના કારણે તેઓ બસ નીચે આવી ગયા હતા અને તેમનું માથું કચડાઈ ગયું હતું. જોકે, અકસ્માત સર્જયા બાદ એસટી બસનો ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો.

બહુચરાજીમાં અકસ્માતમાં 3નાં મોત
મહેસાણાના બેચરાજી નજીક એક અકસ્માતમાં 3 લોકોના મોત થઈ ગયા છે. આ અકસ્માત કોઈ અન્ય વાહન સાથે નહીં પરંતુ ઝાડ સાથે વાહન અથડાઈ જવાના કારણે સર્જાયો છે. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો