એપશહેર

લાભ પાંચમ બાદ શનિ-રવિ હોવાથી દિવાળી વેકેશન લંબાયું, લોકોએ પ્લાન કરી મિનિ ટ્રિપ

શિવાની જોષી | TNN 31 Oct 2019, 9:10 am
નિયતિ પરીખ, અમદાવાદ: દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજના તહેવારો પૂરા થયા છે છતાં શહેરમાં સામાન્ય દિવસો કરતાં શાંતિ અને ઓછી ભીડ જોવા મળે છે. શહેરમાં મોટાભાગની દુકાનો અને ધંધાકીય એકમો લાભ પાંચમ સુધી બંધ રહેવાના છે ત્યારે ઘણા લોકો મિનિ વેકેશન પર કે નજીકના શહેરમાં રહેતા પોતાના સગા-સંબંધીઓને મળવા પહોંચી ગયા છે. શાળા-કોલેજોમાં વેકેશન અને બજારો પણ બંધ હોવાથી અમદાવાદના રસ્તા પર ચહલપહલ ઓછી જોવા મળે છે. જો કે, લાભ પાંચમ શુક્રવારે એટલે કે વીકએન્ડના અગાઉ દિવસે હોવાથી નોકરી-ધંધાવાળા લોકોએ રજાનો ઉપયોગ કરવાનું મન બનાવી લીધું હોય તેવું લાગે છે. રોજિંદા જીવનમાં ગોઠવાતા પહેલા હજુ પણ વેકેશનનો આનંદ માણવાનું નક્કી કરી લીધું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસાઉથ બોપલના રહેવાસી નિશિથા દવે (નામ બદલ્યું છે)એ કહ્યું, “મેં મારી દિવાળીની રજાઓ વાંચવામાં, આરામ કરવામાં અને થાક દૂર કરવામાં વિતાવી છે. અમારી ઓફિસ લાભ પાંચમથી શરૂ થાય છે. જો કે, આ વખતે લાભ પાંચમના બીજા દિવસે જ શનિ-રવિ છે એટલે આખા અઠવાડિયાની રજા છે. હાલ શહેરમાં ટ્રાફિક અને ભીડ ઓછી છે એટલે રહેવાની મજા આવે છે.”જે લોકોએ ફટાકડા ફોડવાનો પ્લાન બનાવ્યો હતો તે ઘણી જગ્યાએ વરસાદને લીધે ધોવાઈ ગયો હતો. અમુક લોકોએ તો જાતે જ ફટાકડા ના ફોડવાનું નક્કી કર્યું હતું. સ્થાનિક મધીષ પરીખએ કહ્યું, “છેલ્લા પાંચ વર્ષથી હવા અને અવાજના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાનું છોડી દીધું છે. મારા માટે દિવાળી એટલે મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો. આ રજાઓમાં મેં એ જ કર્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં આપણે સમાજમાં ભળવાનું ઓછું કરી દીધું છે. એટલે દિવાળી એવો સમય છે જેમાં લોકો એકબીજાને મળવાનો સમય કાઢી લે છે.”તો કેટલાક લોકોએ આસપાસના સ્થળોએ ફરવા જવાનું નક્કી કરી લીધું છે. અમદાવાદના બિઝનેસમેન જયેશ મોદીએ કહ્યું, “મેં મારા પરિવાર સાથે રાજસ્થાનમાં રજાઓ ગાળવાનું નક્કી કર્યું છે. અમદાવાદમાં રોજિંદી જિંદગી જીવવા કરતાં બહાર નીકળીને નવી જગ્યા જોવાની અને ફરીથી તાજગી મેળવવા માટે આ સમય સૌથી સારો છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની મજા આવી રહી છે.”શહેરમાં મોટાભાગના બજારો રવિવાર સુધી બંધ રહેશે કારણકે વેપારીઓ સાતમથી મુહૂર્ત કરવાનું વિચારી રહ્યા છે. ગુજરાત ટ્રે઼ડર ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, “સાામાન્ય રીતે લાભ પાંચમે વેપારીઓ મુહૂર્ત કરીને વેપારનો પ્રારંભ કરે છે. પરંતુ આ વર્ષે લાભ પાંચમ શનિવારે આવે છે ત્યારે મોટાભાગના વેપારીઓ રવિવારે સાતમના દિવસે મુહૂર્ત કરશે તેવું લાગી રહ્યું છે.”PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો