એપશહેર

કાલથી બે દિવસ PM મોદી ગુજરાતમાં: જન્મદિવસે હીરાબાના આશીર્વાદ લેશે

I am Gujarat 15 Sep 2016, 7:53 am
નવગુજરાત સમય > ગાંધીનગર
I am Gujarat for two day pm modi will come to gujarat on birthday will bless hiraba
કાલથી બે દિવસ PM મોદી ગુજરાતમાં: જન્મદિવસે હીરાબાના આશીર્વાદ લેશે


ગાંધીનગરમાં રાજભવનમાં દેશના અત્યંત મહત્વના બે મહાનુભાવો મહેમાન બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 16મીને શુક્રવારે જ નવી દિલ્હીથી ગુજરાત આવી જશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 17મીએ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ જ રીતે આગામી ઓક્ટોબર મહિનામાં 22મીએ રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે અને તેઓ રાજભવનના મહેમાન બનશે.

ગુજરાતમાં ભાજપ હવે આગામી ચૂંટણીની તૈયારીઓ માટે સજ્જ થઇ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સાથોસાથ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હોમ સ્ટેટ પર ફોકસ વધારી દીધું છે. ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં જામનગરમાં સૌની યોજનાના પ્રથમ ચરણના લોકાર્પણ બાદ હવે તેઓ બે દિવસ માટે ફરીથી ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી આદિવાસી વિસ્તાર પર વધારે ફોકસ કરશે. 16મીએ સાંજ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. વડાપ્રધાનના આગમન ટાણે એરપોર્ટ ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રધાનમંડળના સભ્યો, ભાજપના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને સ્વાગત કરશે.

વડાપ્રધાન રાત્રિ રોકાણ માટે રાજભવન પહોંચશે. અહીં પ્રદેશ ભાજપના આગેવાનો, રાજ્ય પ્રધાનમંડળના સભ્યો, અન્ય મુલાકાતીઓને મળશે. ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૬૬મો જન્મદિન છે આથી સવારે પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યાંથી મોટાભાઇ પ્રહલાદભાઇ મોદીના પુત્રી સ્વ.નિકુંજબેનના નિવાસસ્થાને જઇને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અને પરિવારજનોને સાંત્વના પાઠવશે. બોપલથી વડાપ્રધાન સીધા જ એરપોર્ટ પહોંચશે અને હેલિકોપ્ટરથી સવારે ૧૧ વાગે લીમખેડા પહોંચશે. લીમખેડામાં સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરીને જાહેરજનતાને સંબોધન કરશે. બપોરે ૩.૩૦ વાગે તેઓ નવસારી પહોંચશે અને નવસારીમાં દિવ્યાંગ બાળકો સાથે પોતાનો જન્મદિન ઉજવશે. નવસારી જાહેરસભાને સંબોધન કર્યા પછી તેઓ સુરતથી દિલ્હી જવા રવાના થશે. આ તમામ સરકારી પ્રવાસમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય પ્રધાનો પણ તેમની સાથે રહેશે. ઓક્ટોબર મહિનામાં રાષ્ટ્રપતિ ગુજરાત આવી રહ્યા છે. ૨૨મી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વિશેષ વિમાન મારફતે અમદાવાદ આવશે અને રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. ૨૩મીએ સવારે ૧૧ વાગે ભરૂચ પહોંચશે. અહીં સેવાશ્રમ હોસ્પિટલની મુલાકાત લેશે અને તેને ખુલ્લી મુકી રાષ્ટ્રપતિ અંકલેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટનું ઉદ્‌ઘાટન કરશે. ત્યાં વડોદરા આવી દિલ્હી રવાના થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો