એપશહેર

12 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા રાજકોટના નોટરી, આજે પણ તેમના ‘સ્ટેમ્પ’ લગાવીને થાય છે જમીનના સોદા

પાછલા થોડા સમયમાં પોલીસ પાસે બે એવા કેસ સામે આવ્યા જેમાં 12 વર્ષ પહેલા મૃત્યુ પામેલા નોટરીના સ્ટેમ્પનો ઉપયોગ કરીને જમીનનું ખરીદ-વેચાણ કરવામાં આવ્યુ હતું. જમીનના માલિકોને જ્યારે ખબર પડી કે તેમની જમીન વેચાઈ ગઈ છે ત્યારે સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો. નકલી દસ્તાવેજનો ઉપયોગ કરીને આ જમીન વેચવામાં આવતી હતી.

Authored byAshish Chauhan | Edited byZakiya Vaniya | TNN 14 Nov 2022, 8:42 am
અમદાવાદ- ગાંધીનગરના શાહપુર ગામમાં રહેતા ભરતસિંહ સોલંકીને જ્યારે કોર્ટ તરફથી નોટિસ મળી કે તેમનો 30 વીઘાનો પ્લોટ વેચાઈ ગયો છે તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ક્યારેય કોઈની પણ સાથે આ પ્લોટ વેચવાને લગતી ડીલ કરી જ નહોતી. ભરતસિંહે પોલીસનો સંપર્ક સાધ્યો અને તપાસ દરમિયાન ખુલાસો થયો કે ડીલના દસ્તાવેજ બનાવટી હતા. આટલુ જ નહીં, દસ્તાવેજ પર એવા નોટરીના સહી-સિક્કા કરવામાં આવ્યા હતા જે વર્ષો પહેલા દુનિયા છોડીને જતા રહ્યા છે.
I am Gujarat notary
પ્રતિકાત્મક તસવીર


Congress Candidate List: કોંગ્રેસે વધુ 33 ઉમેદવાર જાહેર કર્યા, વડગામથી જિગ્નેશ મેવાણીને ટિકિટ
જ્યારે પોલીસને આ જ મૃત નોટરીના સીલ સાથે અમદાવાદ જિલ્લામાં થયેલી આ પ્રકારની બીજી ડીલ વિશે જાણકારી મળી તો તેમણે કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી જેથી આ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે. આ બન્ને ડીલ 2022માં થઈ હતી. તમામ ડોક્યુમેન્ટ પર રાજકોટરના નોટરી બી.બી. ગાંધીના સ્ટેમ્પ લગાવવામાં આવ્યા હતા, જેમનું ફેબ્રુઆરી 23, 2010ના રોજ નિધન થઈ ગયુ હતું. જુલાઈ 2022માં પ્રથમ કેસ સામે આવ્યો હતો, જેમાં ઠગોએ ગાંધીનગરના ડાભોડા ગામમાં ભરતસિંહની જમીન વેચવાનો પ્રયત્ન કર્યો. તપાસ અનુસાર, ફરિયાદીના બાળપણના મિત્ર સુમન પટેલ જે નરોડામાં રહે છે તેમણે સિક્યોરિટી ગાર્ડની નોકરીની ખાતરી આપીને અમુક દસ્તાવેજો પર સહી કરાવી હતી.

ડિસેમ્બર 2022માં ભરતસિંહને ગાંધીનગરની સિવિલ કોર્ટ તરફથી એક નોટિસ મળી હતી. આ નોટિસમાં જમીનની કોઈ ડીલની વાત હતી. આ જોઈને ભરતસિંહ ચોંકી ગયા હતા. તેમણે ગાંધીનગર જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે સુમન પટેલે જમીન ઉંઝાના કોઈ વ્યક્તિને બે લાખ રુપિયામાં વેચી છે. પોલીસે જોયું કે દસ્તાવેજો પર જેમના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમનું મૃત્યુ 12 વર્ષ પહેલા થઈ ગયુ હતું.

પોલીસે 11 મહિના સુધી દિવસ-રાત એક કર્યા, ફ્રૂટ સેલર અને પોસ્ટમેન બનીને 'અલીબાબા'ને પકડ્યો
બીજો કેસ અમદાવાદ જિલ્લાથી આવ્યો હતો, અહીં લપકામણ ગામમાં એક NRI કપલની 1310 સ્ક્વેર મીટર જમીન પણ આ જ પ્રકારે વેચી દેવામાં આવી હતી. 30 ડિસેમ્બર 2020ના રોજ કપલના દીકરા બ્રિજેશ પટેલને જમીનના ક્લિઅરન્સની એક નોટિસ મળી અને તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમણે આરોપ મૂક્યો કે દેત્રોજના બિલ્ડર હિતેષ પટેલે 2020માં બનાવટી દસ્તાવેજ તૈયાર કરાવ્યા હતા. દસ્તાવેજ અનુસાર, બ્રિજેશના પિતા રમણલાલ જે 2016થી અમેરિકા છે, તેમણે માત્ર 13 લાખ રુપિયામાં આ જમીન હિતેષને વેચી છે.

બોપલના ઈન્સ્પેક્ટર એ.પી. ચૌધરી જણાવે છે કે, આ દિવંગત નોટરીના નામનો ઉપયોગ કરીને કોણ દસ્તાવેજ કરે છે તે જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા કલેક્ટરની ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2007ની વિધાનસભાની ચૂંટણી તેમજ 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારે બી.બી. ગાંધીના સ્ટેમ્પનો ઉપયોગ કરીને ઘણાં નેતાઓએ એફિડેવિટ કરાવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો