એપશહેર

રાજ્યના પૂર્વ DGP એ.આઈ. સૈયદનું કોરોનાને કારણે નિધન

Hitesh Mori | I am Gujarat 23 Jun 2020, 10:46 pm
અમદાવાદઃ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે સાથે કોરોના વોરિયર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ DGP અને વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન એ.આઈ સૈયાદનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોરાજ્યના ઘણા પોલીસ કર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પૂર્વ DGP એ.આઈ સૈયદની તબિયત ખરાબ થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. થોડા દિવસ પહેલા તબિયત વધારે ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે તેમનું નિધન થયું છે.એ.આઈ સૈયદનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓ વક્ફ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. તેમજ ભાજપ અને સરકારમાં ઘણી મહત્વની ફરજ નિભાવી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો