એપશહેર

વીજ દરમાં પ્રતિ યુનિટ 19 પૈસાના કરાયો ઘટાડો, રાજ્યના 1.40 કરોડ ગ્રાહકોને થશે ફાયદો

ઉર્જામંત્રીની જાહેરાત મુજબ આ નિર્ણયથી રાજ્યાના 1.40 કરોડ ગ્રાહકોને 346 કરોડ રૂપિયાનો ફાયદો થશે

TNN 28 Oct 2020, 10:54 pm
અમદાવાદઃ ગુજરાત સરકારે વીજળી પર લેવામાં આવતા ફ્યુલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 19 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યાના 1.40 કરોડ ગ્રાહકોને 346 કરોડ રૂપિયાનો ફાયદો થશે તેવું બુધવારે મોરબીમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.
I am Gujarat fuel surcharge on electricity reduced by 19 paise per unit say state energy minister
વીજ દરમાં પ્રતિ યુનિટ 19 પૈસાના કરાયો ઘટાડો, રાજ્યના 1.40 કરોડ ગ્રાહકોને થશે ફાયદો


ગુજરાત વીજ નિયમનકારી ઓથોરિટી દ્વારા નક્કી કરેયેલા ફોર્મ્યુલા મુજબ ગ્રાહકો પાસેથી વીજળી બિલમાં ફ્યુલ સરચાર્જ વસૂલવામાં આવે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચાર વીજ કંપનીઓઓ યુનિટ દીઠ 2 રૂપિયા ચાર્જ વસૂલે છે પરંતુ હવે ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધી ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ 1.81 રૂપિયા ફ્યૂલ સરચાર્જ વસૂલવામાં આવશે.

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની સસ્તી ઉપલબ્ધતા અને રાજ્ય સરકારને સરળતાથી ગેસની ઉપલબ્ધતાને કારણે રાજ્ય સરકારે યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 19 પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો