એપશહેર

અમદાવાદઃ ફિંગરપ્રિન્ટથી આખો ભેદ ખુલ્યો, 14 મહિને પરિવાર સાથે દીકરીનું મિલન થયું

અમદાવાદ (Ahmedabad News)થી એક છોકરી પોતાના ઘરેથી એકલી નીકળીને સ્ટેશન પહોંચી ગઈ હતી. અહીંથી તે ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્રના અકોલા પહોંચી ગઈ હતી. અહીંથી છોકરીનું આધારકાર્ડ (Aadhar Card) બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ પછી તપાસ કરીને છોકરીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.

Edited byTejas Jingar | I am Gujarat 15 Sep 2022, 9:11 am

હાઈલાઈટ્સ:

  • ફિંગરપ્રિન્ટના કારણે છોકરી તેના પરિવારને પરત મળી શકી
  • 14 મહિના પહેલા ઘરેથી જતી રહેલી છોકરી પરત આવી શકી
  • આધરકાર્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આખો ભેદ ખુલ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Fingerprint
14 મહિના પછી છોકરી પરિવારને પરત મળી
આધારકાર્ડના કારણે અમદાવાદ શહેરના એક પરિવારને પોતાની દીકરી પરત મળી ગઈ છે. 14 મહિના પછી ગોમતીપુરના પરિવારને પોતાની દીકરી પાછી મળી ગઈ છે. પૂજા (નામ બદલ્યું છે) 14 મહિના પહેલા પોતાના ઘરેથી એકલી નીકળીને રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને ત્યાંથી તે એકલી મહારાષ્ટ્રના આકોલા પહોંચી ગઈ હતી. અહીં તેને એકલી ફરતી જોઈને પોલીસને શંકા ગઈ હતી અને તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતે ઔરંગાબાદની હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેના જણાવ્યા પ્રમાણે તપાસ કરતા કોઈ સગા મળ્યા નહોતા. આ પછી તેને અકોલાની CWH (ચાઈલ્ડ વેલફેર કમિટી) સામે રજૂ કરીને બાલિકા આશ્રમમાં મૂકવામાં આવી હતી. અહીં જ્યારે છોકરીના આધારકાર્ડ માટેની કામગીરી કરવામાં આવી ત્યારે તેના માતા-પિતા વિશે જાણ થઈ હતી અને તપાસ કરતા હકીકત સામે આવતા તેને પોતાના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
છોકરી ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ હતી
નવગુજરાત સમયના રિપોર્ટ્સ મુજબ ગોમતીપુરમાં રહેતી 16 વર્ષની પૂજા એકલી મહારાષ્ટ્ર જતી રહી હતી અને તેને એકલી જોઈને પોલીસે સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરી હતી. જ્યાંથી પૂજાને બાલિકા આશ્રમમાં મૂકવામાં આવી હતી. જ્યાં તેનું કાઉન્સિલિંગ કરતા તેણે પોતે ઔરંગાબાદની હોવાનું જણાવ્યું હતું, જોકે, તેના કોઈ સગાની ભાળ મળી નહોતી. આ પછી જ્યારે સંસ્થામાં રહેતી છોકરીઓના આધારકાર્ડ માટે ટીમ આવી ત્યારે પૂજાના આધારકાર્ડ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જ્યારે પૂજાના આધારકાર્ડ માટે ફિંગરપ્રિન્ટ લેવામાં આવી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. ફિંગરપ્રિન્ટ લીધા બાદ છોકરીનું અગાઉથી જ આધારકાર્ડ કઢાયેલું હોવાની વિગતો બાલિકા આશ્રમને જણાવવામાં આવી હતી. તેના આધારકાર્ડના આધારે તપાસ કરતા પૂજા અમદાવાદની હોવાનું આશ્રમને માલુમ પડ્યું હતું. જેમાં દર્શાવેલા સરનામા પ્રમાણે તપાસ કરતા તેના વાલી વારસ મળી આવ્યા હતા.

માતા-પિતાને મળી પોતાની દીકરી
પૂજાના આધારકાર્ડ પ્રમાણે અમદાવાદની જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે આ વિગતોની ચકાસણી કરતા માલુમ પડ્યું કે છોકરીના માતાપિતા મળી ગયા છે. અહીંથી તેના કેટલાક પુરાવા લઈને આકોલા ચાઈલ્ડ વેલફેરને સોંપવામાં આવ્યા હતા. તપાસમાં એવી પણ વિગત જાણવા મળી કે પૂજા ગુમ થઈ તે અંગે તેના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં નહોતી આવી.

આ અંગે પૂછપરછ કરતા પરિવારે જણાવ્યું કે પૂજા આ રીતે વારંવાર ઘરેથી જતી રહેતી હતી પરંતુ તે પરત આવી જતી હતી માટે ફરિયાદ કરવામાં આવી નહોતી. આ પછી સંપૂર્ણ તપાસ કર્યા બાદ આખરે પૂજાને તેના પરિવારને સોંપવામાં આવી છે.

Read Next Story