એપશહેર

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવા અંગે પોલીસે શું કહ્યું? જાણો

Hitesh Mori | I am Gujarat 16 Nov 2019, 5:37 pm
અમદાવાદઃ હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદ આવ્યો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. તેમને આશ્રમમાં પ્રવેશ ન આપતા માથાકૂટ થઈ અને પોલીસ ફરિયાદ કરવામાં આવી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
Dysp એસ.એચ. શરડાએ કહ્યું કે, ‘તમિલનાડુનાં રહેવાસી જનાર્દનભાઇ શર્માએ પહેલી નવેમ્બરનાં રોજ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારા ત્રણ બાળકો છે જેમને ડીપીએસ સ્કૂલ, નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યાં છે. અમને સંપર્ક કરવા દેતા નથી. જેથી પોલીસે સ્કૂલનો સંપર્ક કર્યો જેમાં તેમના 12 અને 14 વર્ષનાં બાળકોની કસ્ટડી મેળવી હતી. જે બાદ તેઓ માતાપિતા સાથે જતા રહ્યાં હતાં.’
ગુમ થયેલી યુવતી સંચાલકોના મતે યુવતી હાલ વિદેશ પ્રવાસે આ મામલે પોલીસે નિવેનદ આપ્યું છે કે, 19 વર્ષની છે એટલે તે સ્વેચ્છાએ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને આશ્રમના સંચાલકોએ આપેલી માહિતી પ્રમાણે યુવતી અત્યારે વિદેશ પ્રવાસે છે અને સંપર્ક થશે એટલે વાત થશે. આશ્રમ વિરૂદ્ધ પોલીસને કોઈ ફરિયાદ હજી સુધી મળી નથી.
અમદાવાદ આશ્રમે આવેલા યુવતીના પરિવારજનોને પ્રવેશવા ન દેવાયા યુવતીના પિતાએ ચાઈલ્ડ વેલફેર કમિટિમાં કરી ફરિયાદ જનાર્દનભાઇ શર્માએ અમદાવાદની ચાઇલ્ડ વેલફેર કમિટિમાં ફરિયાદ નોંઘવી હતી કે, આ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવામાં આવે છે અને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવે છે. જે અંગે કમિટિએ પોલીસ સાથે તપાસમાં આવ્યાં હતાં. જે અંગેનો રિપોર્ટ આવવાનો બાકી છે. બાળકોનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. જેમાં કોઇપણ બાળકે ગેરરીતિની કોઇ વાત કરવામાં આવી નથી. યુવતીનો વીડિયો થયો વાઈરલ ગુમ થયેલી યુવતીએ તૈયાર કરેલો એક વાયરલ વીડિયો બહાર (viral video) બહાર આવ્યો છે. યુવતીએ આ વીડિયોમાં તેના માતાપિતા પર આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું છે કે મારા માતાપિતા મારી મરજી વિરુદ્ધ મને બહાર લાવવા માંગે છે. મારી માતા સાથે રહેતા શંકરાનંદ નામના એક માણસે મારા પર બળાત્કાર કર્યો છે, હું તેમની પાસે જવા નથી માંગતી.
નિત્યાનંદ સેક્સ સીડી કાંડને લઇ ચર્ચામાં નિત્યાનંદ સ્વામી નિત્યાનંદ વર્ષ 2010ની સાલમાં સેકસ સીડી કાંડના લીધે ચર્ચામાં આવ્યા હતા. સાધનાની આડમાં સેકસ રેકેટ ચલાવવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે નિત્યાનંદની તે દલીલ ફગાવી દીધી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને અભિનેત્રી વચ્ચેનો શારીરિક સંબંધ સહમતિથી બંધાયો હતો. કોર્ટે નિત્યાનંદ અને અન્ય વિરુદ્ઘ આરોપો નક્કી કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ સ્વામીના સહયોગીઓએ અરજી કરી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો