એપશહેર

ગોદરેજ ગાર્ડન સિટીની ઘટનામાં થયો મોટો ખુલાસો, સૌથી પહેલા રસોડામાં નહીં બેડરૂમમાં લાગી હતી આગ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ Godrej Garden cityમાં શુક્રવારની સવારે એક દંપતી વચ્ચે ઠંડા નાસ્તા બાબતે મોટી લડાઈ થઈ હતી. વાત એટલી આગળ વધી કે ઘરમાં આગ લાગી ગઈ અને પતિ-પત્ની લોહીલુહાણ પણ થઈ ગયા. આ ઘટનામાં પત્નીનું ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

Edited byZakiya Vaniya | TNN 22 Jan 2023, 8:58 am

હાઈલાઈટ્સ:

  • ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટનામાં મહત્વનો ખુલાસો.
  • ઠંડા નાસ્તાને કારણે પતિ અને પત્ની વચ્ચે શરુ થઈ હતી લડાઈ.
  • હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પતિનો થઈ શકે છે નાર્કો ટેસ્ટ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat godrej garden
હોસ્પિટલ જતા પહેલા મહિલાએ જીવ ગુમાવ્યો હતો, પતિની ચાલી રહી છે સારવાર.
અમદાવાદ- શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં એક 37 વર્ષીય મહિલાના મૃત્યુનો કેસ ગૂંચવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સામે આવેલી જાણકારી અનુસાર માનવામાં આવી રહ્યુ હતું કે મહિલાએ ગેસની પાઈપ નીકાળી લીધી હતી જેના કારણે આગ લાગી હતી. પરંતુ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, સૌથી પહેલા આગ રસોડામાં નહીં પણ બેડરૂમમાં લાગી હતી.
‘પિતાને ભરણપોષણના પૈસા આપો નહીં તો જેલમાં જવા તૈયાર રહો’, હાઈકોર્ટે ત્રણ ભાઈઓને ચીમકી આપી
ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ સવારના સમયે ઠંડા નાસ્તાને કારણે પતિ-પત્ની અનિતા બઘેલ અને અનિલ બઘેલ વચ્ચે લડાઈ થઈ હતી. લડાઈ એટલી આગળ વધી ગઈ કે અનિતા બઘેલનું નિધન થયું, અનિલ બઘેલ ઈજાગ્રસ્ત છે અને ઘરમાં પણ આગ લાગી ગઈ. ઈજાગ્રસ્ત અનિલ બઘેલે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અનિતાએ તેને નાસ્તામાં ઠંડી બ્રેડ આપી હતી જેના કારણે લડાઈ થઈ હતી. જ્યારે મેં બ્રેડ બાબતે નારાજગી વ્યક્ત કરી તો તેને ખોટું લાગી ગયું અને તેણે છરીથી મારા પર હુમલો કર્યો.

અનિલના જણાવ્યા અનુસાર, જ્યારે મેં તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે પહેલા પોતાની જાતને એકપછી એક અનેકવાર છરીથી ઘા કર્યા અને પછી પીએનજીનો પાઈપ નીકાળી દીધો. આટલુ જ નહીં, આગ લાગે તે માટે તેણે લાઈટરથી સ્પાર્ક પણ કર્યો હતો. અનિલ જણાવે છે કે, મેં તેને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ હું સફળ નહોતો રહ્યો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ બઘેલ સતત પોતાના નિવેદન બદલી રહ્યો છે. તેણે જણાવ્યું કે અનિતાએ રસોડામાં આગ સળગાવી હતી, પરંતુ ફોરેન્સિક તપાસ અનુસાર આગની શરુઆત બેડરુમથી થઈ હતી. આ ઘટના સાથે સંકળાયેલ એક પોલીસ અધિકારી જણાવે છે કે, અનિલ બઘેલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અમારી પાસે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જે અનુસાર અનિતાનું નિધન ગૂંગળામણને કારણે થયું છે. તેના ગળામાં છરીના નિશાન છે. આટલુ જ નહીં, હાથ પર ઈજાના જૂના નિશાન પણ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અનિલની સારવાર ચાલી રહી છે. ચાંદખેડાના PI વી.એસ. વણઝારા જણાવે છે કે, અનિતાના માતા-પિતાએ અનિલ વિરુદ્ધ કોઈ આરોપ નથી મૂક્યા.

વી બ્લોકમાં રહેતા તેમના પાડોશીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારના રોજ સવારે લગભગ 8.40ની આસપાસ લડાઈ શરુ થઈ હતી. પાડોશીઓએ સાંભળ્યું કે અનિલ મદદ માટે બૂમો પાડી રહ્યો હતો અને ઘરમાંથી બહાર ભાગી રહ્યો હતો. તે લોહીલુહાણ સ્થિતિમાં હતો. તેણે પાડોશીઓને જણાવ્યું કે, અનિતાએ મારા પર છરીથી હુમલો કર્યો અને તે પોતે પણ ઈજાગ્રસ્ત છે. જ્યારે પાડોશીઓએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો તે અંદરથી બંધ હતો. સિક્યોરિટી ગાર્ડે દરવાજો તોડ્યો અને અનિતાને બહાર નીકાળવામાં મદદ કરી હતી. પરંતુ અનિતાએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી દીધો હતો.

Read Next Story