એપશહેર

રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે આવ્યા મહત્વના સમાચાર

રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓ 5 વર્ષની સેવા દરમિયાન એકત્રિત થયેલી માંદગીની રજાઓને નિયમિત નિમણૂક મળ્યા પછી આગળ લઈ જઈ શકશે.

I am Gujarat 24 Oct 2020, 7:21 pm
અમદાવાદ: રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે આજે એક મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓ 5 વર્ષની સેવા દરમિયાન એકત્રિત થયેલી માંદગીની રજાઓને નિયમિત નિમણૂક મળ્યા પછી આગળ લઈ જઈ શકશે. હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના પરિપત્રથી હાલ રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધારી ગઈ છે.
I am Gujarat q7


રાજ્ય સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને ફિક્સ પગારમાં મળતી મેડિકલ રજાઓ જે વણવપરાયેલી છે એટલે કે જે મેડિકલ રજાનો વપરાશ થયો નથી તે રજાઓ પૂરા પગારમાં આવ્યા પછી જમા થશે. ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફિક્સ પગારમાં 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરી, નિયમિત નિમણુકમાં આવતા તેઓના ફિક્સ પગારમાં પાંચ વર્ષના સેવાકાળ દરમિયાન જમા થયેલી માંદગીની રજાની સિલક નિયમિત નિમણૂક મળ્યા પછી આગળ લઈ જઈ શકે છે. હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ આ મુદે સ્પષ્ટતા કરતો પરિપત્ર પણ જાહેર કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો