એપશહેર

અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બનાવવાનું સરકારનું સપનું રોળાયું

બિલ્ડરોને અમદાવાદમાં 10થી 13 માળ સુધીની ઈમારતો બાંધવામાં વધુ રસ છે. છેલ્લા 8 વર્ષમાં 15 માળ સુધીની 250 ઈમારતોને મંજૂરી મળી છે. હાઈરાઈઝ બિલ્ડીંગમાં બિલ્ડરોને રસ નથી.

I am Gujarat 10 Oct 2021, 9:30 am
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં 100 મીટરથી લઈને 150 મીટર સુધી ઉંચાઈની બિલ્ડિંગો બંધાય તે માટે FSI પણ વધારવામાં આવી છે. તો રાજ્ય સરકાર અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બાંધવાની મંજૂરી પણ આપશે તેવી જાહેરાત કેટલાક સમય પહેલા કરી હતી. જોકે એક તરફ સરકાર અમદાવાદમાં બુર્જ ખલીફાનું સપનું જોઈ રહી છે પરંતુ બીજી તરફ બિલ્ડરોને 25 માળથી વધુ ઊંચી બિલ્ડીંગ બનાવવામાં રસ નથી.
I am Gujarat governments ready for high rise building in ahmedabad but builders are not ready
અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બનાવવાનું સરકારનું સપનું રોળાયું


વાત ત્યાં જ અટકતી નથી અમદાવાદમાં લોકોને પણ 25 માળથી વધુ ઊંચી બિલ્ડીંગમાં ઘર ખરીદવામાં ખાસ રસ નથી પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2014થી લઈને વર્ષ 2021 સુધીના 8 વર્ષમાં 45 મીટરથી વધુ કે પછી 70 મીટર સુધીની ઊંચાઈની 49 ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. ના અધિકારીઓના મતે બિલ્ડરોને 70 મીટરની હાઈટ સુધીની ઈમારતો બાંધવામાં બાંધકામ કોસ્ટ મોંઘી પડે છે. જ્યારે કોમર્શિયલ ઈમારતોના યુનિટ પણ વેચાતા નથી. જ્યારે અમદાવાદીઓ 20 માળથી વધુની ઊંચાઈનું મેન્ટેનન્સ મોંઘુ પડતું હોવાથી ખરીદીમાં ઓછો રસ લે છે.
ઔડાએ અમદાવાદ શહેરનો ડેવલોપમેન્ટ પ્લાન બનાવ્યો હતો. જેને રાજ્ય સરકારે ડિસેમ્બર 2014માં મંજૂરી આપી હતી. તે વખતે ડેવલોપમેન્ટ પ્લાનમાં ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં આશ્રમ રોડની બંને તરફ ઉસ્માનપુરાથી એલિસબ્રિજ સુધીના પટ્ટાને સેન્ટ્રલ બિઝનેસ કોરિડોર(સીબીડી) ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આશ્રમ રોડને બિઝનેસ હબ તરીકે વિકાસ કરવાનું આયોજન કરવમાં આવ્યું હતું પણ આજદિવસ સુધી આ સીબીડી ઝોનમં માત્ર ત્રણ હાઈરાઈઝ બિલ્ડીંગ ઉભી થઈ શકી છે. આ પ્રકારે અમદવાદ શહેરના મેટ્રો રુટ પર અને બીઆરટીએસ રુટની બંને તરફ ટ્રાન્ઝિસ્ટ ઓરિયેન્ટેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

છેલ્લા આઠ વર્ષમાં અમદાવદ શહેરમાં ટીઓઝેડ ઝોન અને મોટી પહોળાઈના રોડ ઉપર 10 માળથી 15 માળ સુધીની ઈમારતો બાંધવામાં બિલ્ડરોને રસ પડી રહ્યો છે. દર વર્ષે અંદાજે 25થી 30 નવી ઈમારતો ઉભી થઈ રહી છે. છેલ્લા 8 વર્ષમાં 45 મીટર સુધીની ઊંચાઈની 250 જેટલી ઈમારતોને મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ 45 મીટરથી વધઉ ઊંચાઈની ઈમારતોમાં અત્યાર સુધીમાં 49 ઈમારતોને મંજૂરી આપવામાં આવી છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 45 મીટરથી વધઉ ઊંચાઈ કે પછી 70 મીટર સુધીની ઊંચાઈની ઈમારતોની મંજૂરીમાં રહેણાંક પ્રકારની ઈમારતો છે. જેમાં પણ ખાસ કરીને લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ હોય છે. મોટાભાગના કિસ્સામાં મોંઘા ફ્લેટ અને વધુ એમેનિટિઝ સાથેની સ્કીમો હાઈરાઈઝમાં આવી રહી છે જ્યારે કોમર્શિયલ ઈમારતોની સંખ્યા ઓછી છે. રહેણાંક સ્કીમોમાં પણ મેઇન્ટેનન્સ મોંઘુ હોય છે. કેમ કે, હાઈરાઈઝ બિલ્ડિંગમાં સુપર ફાર્સ્ટ લીફ્ટ જોઈએ જેનું વાર્ષિક મેઇન્ટેનન્સ અને ઓપરેટર માણસનો ખર્ચ વી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો