એપશહેર

સરકાર બિનસચિવાલય પરીક્ષા મામલે ઉમેદવારો સાથે ચર્ચા માટે તૈયાર, પ્રતિનિધિઓ રવાના

Tejas Jinger | I am Gujarat 5 Dec 2019, 10:54 am
ગાંધીનગરઃ બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાદ પરીક્ષાને રદ કરવાની માંગણી સાથે ગાંધીનગર પહોંચેલા ઉમેદવારો સામે સરકાર ઝૂકી છે અને તેમને ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે. સરકારના પોલીસ, વહીવટી તંત્ર કલેક્ટર ઓફિસના અધિકારીઓએ આંદોલન કરી રહેલા ઉમેદાવારોની વચ્ચે આવીને સરકાર ચર્ચા માટે તૈયાર હોવાની જાહેરાત કરી હતી. હાર્દિક પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા નામના બે પ્રતિનિધિઓ કલેક્ટરને મળવા માટે રવાના થયા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ચર્ચા માટે ઉમેદવારોના પ્રધિનિધિને લેવા પહોંચેલા પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે અહીંથી જે પણ વિદ્યાર્થીઓને લઈ જઈશું તેમને ચર્ચા બાદ તમારી વચ્ચે પાછા મૂકી જઈશું. ફેર પરીક્ષાની માગણી કરી રહેલા ઉમેદવારોએ સરકારે ભરેલા પગલાની પ્રશંસા કરવાની સાથે કહ્યું છે કે, અમેને 100% વિશ્વાસ છે કે સરકાર હકારાત્મક નિર્ણય લેશે અને વિદ્યાર્થીઓની વાત ચોક્કસ સાંભળશે. રૂપાણી સરકારનો નિર્ણયઃ શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાતસરકાર મળવા માટે જઈ રહેલા વિદ્યાર્થી પ્રતિનિધિએ કહ્યું કે, અમે સમાધાન કરવા માટે નહીં પણ ફક્ત ને ફક્ત ન્યાય માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી પ્રતિનિધિએ પુરાવા સાથે બેઠકમાં પહોંચી રહ્યા હોવાનું જણાવ્યું છે.મહત્વનું છે કે, સવારે પરીક્ષાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ NCP પ્રમુખ શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ટેકો આપીને સરકારે તેમની વાત સાંભળવી જોઈએ તેવી વાત કરી હતી. શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની માગણી અંગે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે વાત કરશે.

Read Next Story