એપશહેર

Pariksha Pe Charcha 2023 :ગુજરાતમાં ધોરણ 9 થી 12ની પ્રિલિમનરી પરીક્ષામાં મહત્વનો ફેરફાર, PM મોદી કરશે 'પરીક્ષા પે ચર્ચા'

Pariksha Pe Charcha: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ એક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા યોજવાની હતી. પરંતુ હવે પ્રિલિમનરી પરીક્ષા 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીના રોજ યોજવા આદેશ આપવામાં આવ્યો છે. તે સમયગાળામાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ યોજાવાનો હોઈ જેથી પરીક્ષા મોડી યોજવાનું નક્કી કરવામાં આવ્યું લેવું છે.

Edited byParth Shah | I am Gujarat 11 Jan 2023, 12:38 pm

હાઈલાઈટ્સ:

  • ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો એક મોટો નિર્ણય
  • ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા પાછી ઠેલાઈ
  • PM મોદીના પરિક્ષા પે ચર્ચાના કારણે પરીક્ષા મોડી લેવાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Narendra modi
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો એક મોટો નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા લેવાની હતી. જોકે તેને પાછી ઠેલવવામાં આવી છે. જેમાં પ્રિલિમનરી પરીક્ષા હવે 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજવાનો ગુજરાત શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જોકે વડાપ્રધાન મોદી દ્વારા તે સમયગાળામાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ યોજાવાનો હોઈ જેથી પરીક્ષા મોડી યોજવાનું નક્કી કરવામાં આવ્યું લેવું છે.

ગાંધીનગર: હવે મુખ્યમંત્રીને ડાયરેક્ટ કરી શકાશે ફરિયાદ, CMOએ જાહેર કર્યો WhatsApp નંબર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરવાના છે. જેમાં આ કાર્યક્રમ આ વર્ષે 'પરીક્ષા પે ચર્ચા' 27 જાન્યુઆરી 2023ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. વર્ષ 2018માં પહેલીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ દર વર્ષે વડાપ્રધાન 'પરીક્ષા પે ચર્ચા'ના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા અંગે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો એક મોટો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે જે જાણો છો તેમાં આત્મવિશ્વાસ રાખો અને બીજાની દેખાદેખી કરવાને બદલે સહજ રીતે પોતાનો રૂટીન કામ ચાલુ રાખો. ઉત્સાહપૂર્વક પરીક્ષામાં સામેલ થાઓ.'
Latest Ahmedabad News And Gujarat News

Read Next Story