એપશહેર

GTUઃ પીએચડી-એમ.ફીલમાં એન્ટ્રન્સ ટેસ્ટ અંગે અનિશ્ચિતતા

I am Gujarat 12 Sep 2016, 3:42 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat gtu 17
GTUઃ પીએચડી-એમ.ફીલમાં એન્ટ્રન્સ ટેસ્ટ અંગે અનિશ્ચિતતા


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને ઓગસ્ટના અંત સુધીમાં પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ યુનિવર્સિટીઓએ આ કાર્યવાહી પૂરી કરી દીધી છે. જો કે, રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં હજુ સુધી પીએચડીની પરીક્ષા અંગે કોઇ જાહેરાત સુધ્ધાં કરવામાં આવી નથી.

રાજ્યની દરેક યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશ માટે એક જ સિસ્ટમ અમલમાં આવે તે માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓને પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનો આદેશ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી દરેક યુનિવર્સિટીઓ દ્વારા આ પ્રકારે ટેસ્ટ લઇને વિદ્યાર્થીઓને પીએચડી અને એમ.ફીલમાં પ્રવેશ આપવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પીએચડી અને એમ.ફીલ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. યુજીસીના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ એમ.ફીલ પાસ કર્યુ હોય અથવા તો નેટ-સ્લેટની પરીક્ષા પાસ કરી હોય તેઓએ પીએચડીમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોતી નથી. એમ.ફીલ પાસ કરનારા અથવા તો નેટ-સ્લેટ પાસ કરનારા વિદ્યાર્થીઓને સીધા પીએચડીમાં પ્રવેશ ફાળવી આપવામાં આવે છે. દરેક યુનિવર્સિટીઓ માટે નિર્ધારીત સમયમાં આ એન્ટ્રન્સ ટેસ્ટ પૂરી કરવી ફરજિયાત છે.

સૂત્રો કહે છે દરેક યુનિવર્સિટીને ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પરીક્ષા પુરી કરી દેવાની હોય છે. આ પ્રકારની પરીક્ષાનું આયોજન દરેક યુનિવર્સિટીએ સ્વતંત્ર રીતે કરવાનું હોય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડી-એન્ટ્રન્સ ટેસ્ટમાં અંદાજે 300થી વધારે વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા પછી હાલ પ્રવેશ આપવામાં આવ્યો છે.

સૂત્રો કહે છે હાલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હજુ સુધી આવી કોઇ એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન સુધ્ધા કરવામાં આવ્યું નથી. છેલ્લા 10 વર્ષમાં જીટીયુમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા પીએચડી વિદ્યાર્થીઓ બહાર પડ્યા છે. પોતાના વિદ્યાર્થીઓ પીએચડી-એમ.ફીલ થાય તે માટે એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં ઉદાસીન વલણ દાખવતાં સત્તાધીશોએ જો કે, અત્યાર સુધીમાં ત્રણ મહાનુભાવોને માનદ્દ પીએચડીની ડિગ્રી એનાયત કરી દીધી છે. આ મુદ્દે જીટીયુના રજિસ્ટ્રાર જીતેન્દ્ર લીલાણી અને ઇન્ચાર્જ કુલપતિ ડો. રાજુલ ગજ્જરનો સંપર્ક કરવા છતાં તેઓ મળી શક્યા નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો