એપશહેર

ફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક

શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો

I am Gujarat 5 Aug 2020, 8:00 pm
અમદાવાદઃ લોકડાઉન દરમિયાન શાળાઓ દ્વારા ફી ઉઘરાણી મુદ્દે સરકારે વાલીઓની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. સાથે એવું પણ કહ્યું કે ફી સંબંધે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેના આધારે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.
I am Gujarat gujarat government high court school fees and online education
ફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક


શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, 'હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PILના સંદર્ભમાં આપેલ ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.'

જેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવશે કે સંચાલકો કેવી રીતે ફી ઉઘરાવી શકશે. તેના માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે તે નક્કી કરવામાં આવશે. હાઇકોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો