એપશહેર

રાજ્યમાં 79 IAS અધિકારીઓની સાગમટે બદલી, સુરત અને રાજકોટના મ્યુ. કમિશનર બદલાયા

નવરંગ સેન | I am Gujarat 30 Aug 2019, 11:47 am
ગાંધીનગર: રુપાણી સરકારની બીજી ટર્મમાં પહેલીવાર એકસાથે 79 IAS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યાના બીજા જ દિવસે સરકારે બદલીનો ઓર્ડર જાહેર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારની ચર્ચા હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો આજે થયેલા આદેશ પ્રમાણે 1985ની બેંચના IAS અધિકારી પુનમચંદ પરમારને સ્વાસ્થ્ય અને પરિવાર નિયોજન વિભાગમાંથી ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીના પદે મૂકવામાં આવ્યા છે. 1986ની બેંચના સંગીતા સિંઘને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીના પદે મૂકાયા છે. તેઓ અગાઉ સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા હતા. 1989ની બેંચના પંકજ જોશીને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઈ છે. 1991ની બેંચના જગદીશ પ્રસાદ ગુપ્તાને કરવેરા વિભાગના ચીફ કમિશનર બનાવાયા છે. જંયતિ રવિને સ્વાસ્થ્ય અને પરિવાર નિયોજન વિભાગનો હવાલો સોંપાયો છે. તે હવે સમગ્ર વિભાગના ઈન-ચાર્જ રહેશે. વિદેશથી પરત આવેલા 2004ની બંચના મનિષા ચંદ્રાને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. 2003ની બેંચના રુપવંતસિંહ રાઠોડને બદલી કરીને નાણાં વિભાગમાં મૂકાયા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધી પાનીને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવયા છે, જ્યારે સુરતના હાલના મ્યુ. કમિશનર થેન્નારસનને જીઆઈડીસીના વાઈસચેરમેન અને એમડી બનાવાયા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story