આશિષ અમીન > અમદાવાદ ashish.amin@timesgroup.com
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 450 શાળાઓમાં ભણતાં દોઢ લાખ બાળકોના અભ્યાસની જવાબદારી નિભાવતા અને રૂ.550 કરોડના બજેટવાળા સ્કૂલ બોર્ડમાં શાસક પક્ષના સભ્યો નિમવાનો મામલો ભારે ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભાજપમાં બદલાયેલા રાજકીય સમીકરણોમાં સ્કૂલ બોર્ડમાં શાસક પક્ષના નવ સભ્યોની પસંદગીથી ઊભા થયેલા ડખાએ બાકીના ત્રણ સરકારી સભ્યોની નિમણૂકને વિલંબમાં મુકી દીધી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, 1 માર્ચના રોજ સ્કૂલ બોર્ડની 12 સભ્યોની ચૂંટણી માટે બપોરે જ બારોબાર નવ નામ ભાજપે જાહેર કર્યા હતા. આ નામોમાં મોટાભાગે શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હોય એવા તેમજ કેટલાક હિન્દીભાષી સભ્યોની પસંદગીએ સમગ્ર શહેર સંગઠનના કાર્યકરોમાં ખળભળાટ મચાવી દીધો હતો. સભ્યોની પસંદગી અંગેની કાર્યકરો, હોદ્દેદારોની નારાજગી પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી સુધી પહોંચી હતી. સૂત્રો કહે છે કે, રૂપાણીએ શહેર સંગઠન સાથે પરામર્શ કરી સર્વસંમત નામો સ્કૂલ બોર્ડ માટે પસંદ કરવા સૂચના આપી હતી. પરંતુ કહે છે કે, સંગઠને આપેલા પચ્ચીસ ત્રીસ નામોમાંથી જ્યારે શોર્ટલિસ્ટ થઇને ફોર્મ ભરાયા ત્યારે જ સૌને જાણ થઇ હતી. આથી અધ્યક્ષે ફરીથી અમદાવાદ સંગઠનના હોદ્દેદારોને બોલાવીને સાચી હકીકતો મેળવી હતી. નામો ‘ઉપર’થી નક્કી થતાં અધ્યક્ષે હવે બાકીના ત્રણ નામો કે જે સરકારના પ્રતિનિધિ હોય છે તેમાં કયા નામો પસંદ કરવામાં આવશે તેની જાણકારી માગી છે. આને કારણે સ્કૂલ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત અટકી પડી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સરકાર દ્વારા નિમાનાર સભ્યો માટે આનંદીબહેન પટેલ કેમ્પ મારફતે રાકેશ પરીખ અને ભાઇલાલ પટેલના નામો આગળ કરાઇ રહ્યા છે. રાકેશ પરીખ પ્રમોદાબેન સુતરિયાની જેમ માનવ સાધના ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. ટ્રસ્ટના હિસાબોની દેખરેખ પરીખ રાખે છે અને અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે ભાયલાલભાઇ એ મોહિના બા શાળાના પૂર્વ શિક્ષક અને હાલ આંગણવાડીઓની દેખરેખ રાખે છે. હવે આ નામો સંગઠનની પરીક્ષામાંથી પાસ થાય છે કે કેમ તે જોવાનું રહે છે.
અહીં નોંધવું જરૂરી છે કે, અગાઉના બોર્ડમાંથી ત્રણ સભ્યોને કોર્પોરેશનની ટિકિટો મળી હતી. જેમાં પ્રમોદાબેન સુતરિયા, સુજય મહેતા અને વલ્લભાઇ પટેલનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વિશ્વાસુ ગૌતમ શાહ મેયર છે તો આનંદીબહેન પટેલના વિશ્વાસુ પ્રમોદાબેન સુતરિયા ડેપ્યુટી મેયર છે. બહેનના વિશ્વાસુ સુજય મહેતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. સુજય મહેતા એ આનંદીબહેન પરિવારની કંપનીઓમાં પાર્ટનર એવા દક્ષેશ શાહના સંબંધી છે.
આમ, અમદાવાદ મહાનગરમાં મહત્વની બોડીને પોતાના ‘કન્ટ્રોલ’માં રાખવાના પ્રયાસો પર હવે ક્યાંકને ક્યાંક સંગઠન દ્વારા બ્રેક લાગી રહી છે એમ સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે 2005માં પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મોકલ્યા પછી આનંદીબહેન પટેલે અમદાવાદ મહાનગરપાલિકાનો કારભાર પોતાના હાથમાં લીધો હતો. એ જ વખતે તત્કાલિન સ્કૂલ બોર્ડ ચેરમેન જે.પી. દેસાઇને ઉથલાવીને બોર્ડ વિખેરાયું હતું.
ઇન્ચાર્જ શાસનાધિકારી અશ્વિન ત્રિવેદી પાસેથી ચાર્જ લઇને પાટણથી બદલી કરીને મુકાયેલા લબ્ધિ દેસાઇને જવાબદારી સોંપાઇ હતી. જે હાલ પણ છે. આ પછી ચેરમેનપદે મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયાના જ મનુભાઇ રાવલ મુકાયા અને ડે.ચેરમેન પદે હાલના ઔડા ચેરમેન ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ હતી.
ચેરમેનની કામગીરીથી તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ હોવાથી તેમણે નવા બોર્ડમાં પ્રો.જગદીશ ભાવસાર અને પ્રો.હર્ષદ પટેલની નિમણૂક કરી હતી. જોકે, એ વખતે બાકીના સભ્યોમાં હાલના ડેપ્યૂટી મેયર પ્રમોદાબેન સુતરિયા, સુજોય મહેતા જેવા સભ્યોને આનંદીબહેન પટેલે મુકાવ્યા હતા. હવે પ્રદેશમાં આવેલા બદલાવ બાદ અત્યાર સુધી થતી નિમણૂકો અંગે સંગઠને પૃચ્છા કરી હોવાની ઘટના પહેલી વખત બનતાં નિમણૂકોમાં ‘સત્તા’ કોની એના મુદ્દે જંગ શરૂ થયો છે.
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 450 શાળાઓમાં ભણતાં દોઢ લાખ બાળકોના અભ્યાસની જવાબદારી નિભાવતા અને રૂ.550 કરોડના બજેટવાળા સ્કૂલ બોર્ડમાં શાસક પક્ષના સભ્યો નિમવાનો મામલો ભારે ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ભાજપમાં બદલાયેલા રાજકીય સમીકરણોમાં સ્કૂલ બોર્ડમાં શાસક પક્ષના નવ સભ્યોની પસંદગીથી ઊભા થયેલા ડખાએ બાકીના ત્રણ સરકારી સભ્યોની નિમણૂકને વિલંબમાં મુકી દીધી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, 1 માર્ચના રોજ સ્કૂલ બોર્ડની 12 સભ્યોની ચૂંટણી માટે બપોરે જ બારોબાર નવ નામ ભાજપે જાહેર કર્યા હતા. આ નામોમાં મોટાભાગે શિક્ષણ સાથે કોઇ લેવાદેવા ન હોય એવા તેમજ કેટલાક હિન્દીભાષી સભ્યોની પસંદગીએ સમગ્ર શહેર સંગઠનના કાર્યકરોમાં ખળભળાટ મચાવી દીધો હતો. સભ્યોની પસંદગી અંગેની કાર્યકરો, હોદ્દેદારોની નારાજગી પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી સુધી પહોંચી હતી. સૂત્રો કહે છે કે, રૂપાણીએ શહેર સંગઠન સાથે પરામર્શ કરી સર્વસંમત નામો સ્કૂલ બોર્ડ માટે પસંદ કરવા સૂચના આપી હતી. પરંતુ કહે છે કે, સંગઠને આપેલા પચ્ચીસ ત્રીસ નામોમાંથી જ્યારે શોર્ટલિસ્ટ થઇને ફોર્મ ભરાયા ત્યારે જ સૌને જાણ થઇ હતી. આથી અધ્યક્ષે ફરીથી અમદાવાદ સંગઠનના હોદ્દેદારોને બોલાવીને સાચી હકીકતો મેળવી હતી. નામો ‘ઉપર’થી નક્કી થતાં અધ્યક્ષે હવે બાકીના ત્રણ નામો કે જે સરકારના પ્રતિનિધિ હોય છે તેમાં કયા નામો પસંદ કરવામાં આવશે તેની જાણકારી માગી છે. આને કારણે સ્કૂલ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત અટકી પડી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સરકાર દ્વારા નિમાનાર સભ્યો માટે આનંદીબહેન પટેલ કેમ્પ મારફતે રાકેશ પરીખ અને ભાઇલાલ પટેલના નામો આગળ કરાઇ રહ્યા છે. રાકેશ પરીખ પ્રમોદાબેન સુતરિયાની જેમ માનવ સાધના ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. ટ્રસ્ટના હિસાબોની દેખરેખ પરીખ રાખે છે અને અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે ભાયલાલભાઇ એ મોહિના બા શાળાના પૂર્વ શિક્ષક અને હાલ આંગણવાડીઓની દેખરેખ રાખે છે. હવે આ નામો સંગઠનની પરીક્ષામાંથી પાસ થાય છે કે કેમ તે જોવાનું રહે છે.
અહીં નોંધવું જરૂરી છે કે, અગાઉના બોર્ડમાંથી ત્રણ સભ્યોને કોર્પોરેશનની ટિકિટો મળી હતી. જેમાં પ્રમોદાબેન સુતરિયા, સુજય મહેતા અને વલ્લભાઇ પટેલનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વિશ્વાસુ ગૌતમ શાહ મેયર છે તો આનંદીબહેન પટેલના વિશ્વાસુ પ્રમોદાબેન સુતરિયા ડેપ્યુટી મેયર છે. બહેનના વિશ્વાસુ સુજય મહેતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. સુજય મહેતા એ આનંદીબહેન પરિવારની કંપનીઓમાં પાર્ટનર એવા દક્ષેશ શાહના સંબંધી છે.
આમ, અમદાવાદ મહાનગરમાં મહત્વની બોડીને પોતાના ‘કન્ટ્રોલ’માં રાખવાના પ્રયાસો પર હવે ક્યાંકને ક્યાંક સંગઠન દ્વારા બ્રેક લાગી રહી છે એમ સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે 2005માં પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મોકલ્યા પછી આનંદીબહેન પટેલે અમદાવાદ મહાનગરપાલિકાનો કારભાર પોતાના હાથમાં લીધો હતો. એ જ વખતે તત્કાલિન સ્કૂલ બોર્ડ ચેરમેન જે.પી. દેસાઇને ઉથલાવીને બોર્ડ વિખેરાયું હતું.
ઇન્ચાર્જ શાસનાધિકારી અશ્વિન ત્રિવેદી પાસેથી ચાર્જ લઇને પાટણથી બદલી કરીને મુકાયેલા લબ્ધિ દેસાઇને જવાબદારી સોંપાઇ હતી. જે હાલ પણ છે. આ પછી ચેરમેનપદે મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયાના જ મનુભાઇ રાવલ મુકાયા અને ડે.ચેરમેન પદે હાલના ઔડા ચેરમેન ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ હતી.
ચેરમેનની કામગીરીથી તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ હોવાથી તેમણે નવા બોર્ડમાં પ્રો.જગદીશ ભાવસાર અને પ્રો.હર્ષદ પટેલની નિમણૂક કરી હતી. જોકે, એ વખતે બાકીના સભ્યોમાં હાલના ડેપ્યૂટી મેયર પ્રમોદાબેન સુતરિયા, સુજોય મહેતા જેવા સભ્યોને આનંદીબહેન પટેલે મુકાવ્યા હતા. હવે પ્રદેશમાં આવેલા બદલાવ બાદ અત્યાર સુધી થતી નિમણૂકો અંગે સંગઠને પૃચ્છા કરી હોવાની ઘટના પહેલી વખત બનતાં નિમણૂકોમાં ‘સત્તા’ કોની એના મુદ્દે જંગ શરૂ થયો છે.