એપશહેર

દિવાળીના તહેવારોમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની આગાહી

નવરાત્રી બાદ શરુ થઈ રહેલા દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા

Authored byTejas Jinger | I am Gujarat 22 Oct 2019, 9:23 am
અમદાવાદઃ નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રીય થયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આજના દિવસે દાહોદ, મહિસાગર, વલસાડ, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદી છાપટાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે.23 અને 24 તારીખોની આગાહી પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આ પછીના દિવસોમાં પણ ક્યાંક-ક્યાંક સામાન્ય વરસાદ રહી શકે છે.અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. સારા અલી ખાનનો વર્કઆઉટ જોઈને ફેન્સનો છૂટ્યો પરસેવો, બોલ્યા-એકદમ કડક

Read Next Story