એપશહેર

આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર, ક્યા વિધેયક પસાર થશે?

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્રમાં 4 સરકારી સુધારા વિધેયક પસાર કરાશે, પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્યો-મંત્રીઓને શોકાંજલિ અપાશે?

I am Gujarat 27 Sep 2021, 10:07 am

હાઈલાઈટ્સ:

  • વિધાનસભા સત્રના પ્રારંભમાં જ પ્રથમ મહિલા અધ્યક્ષની વરણી, ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી
  • આજથી શરૂ થયેલા બે દિવસીય યોમાસા સત્રમાં ચાર સરકારી સુધારા વિધેયક પસાર કરાશે
  • વિધાનસભા ગૃહમાં 19 જેટલા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓને શોકાજંલિ અપાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ થવાનું છે. જેની શરૂઆતમાં જ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વરણી બાદ ગુજરાત વિધાનસભાને તેના ઈતિહાસના પ્રથમ મહિલા અધ્યક્ષ પ્રાપ્ત થશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે ગુજરાત વિધાનસભામાં ચાર વિધેયક પસાર થશે, જેમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, જીએસટી સુધારા વિધેયક, ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક અને કૌશલ્યા: ધ સ્કીલ યુનિવર્સિટી વિધેયકનો સમાવેશ થાય છે.
સત્રની શરૂઆતમાં વિધાનસભા અધ્યક્ષની વરણ, ઉપાધ્યક્ષ માટે ચૂટણી થશે
મીડિયા રિપોર્ટ મુજબ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ આહિર અને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારાએ ચૂંટણી માટે ફોર્મ ફર્યા છે. એટલે બંને મહાનુભાવે વચ્ચે ચૂંટણી થશે. જેમાં ભાજપની બહુમતિ હોવાથી સ્વાભાવિક રીતે જ મોખિક મતદાનમાં જ ઉપાધ્યક્ષ પદે પણ ભાજપના સભ્યનો વિજય થાય તેવી શક્યતા છે.

19 સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓને શોકાંજલિ અપાશે
અગાઉ ધારાસભ્ય મંત્રી પદે રહી ચૂકેલા પણ હવે આ ફાનિ દુનિયાને અલવિદા કરી ગયેલા 19 જેટલા સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યો-મંત્રીઓને શોકાંજલિ પણ અપાશે. સામાન્ય રીતે જ્યારે પણ વિધાનસભાનું સત્ર મળે ત્યારે નિયમો અનુસાર ગૃહની રણનીતિ તૈયાર કરવા માટે સત્તાધારી અને વિપક્ષના ધારાસભ્યોની બેઠક મળતી હોય છે અને એના આધારે એવું માની લેવાતું હોય છે કે, અત્યારે રાજ્યમાં મોંઘવારી, બેકારી, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, લેન્ડ ગ્રેબિંગ, પ્રદૂષણ સહિતના અનેક પ્રશ્નો મુદ્દો વિરોધ પક્ષ, રાજ્ય સરકાર પાસેથી હિસાબ માંગશે અને તેના મુદ્દે આક્રમક રજૂઆત કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે કેટેલો સમય બાકી?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 15 મહિનાનો સમય બાકી રહી ગયો છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાની રાજકીય તાકાત વધારવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

Read Next Story