Happy Birthday Ahmedbad Read About Citys Milestones In Last 158 Years
Happy Birthday અમદાવાદઃ જાણો છો, દેશનું પ્રથમ સ્માર્ટ સિટી હતું આપણું અમદાવાદ?
TNN26 Feb 2018, 9:43 am
આજે અમદાવાદનો 608મો બર્થ ડેઃ
આજે અમદાવાદનો 608મો સ્થાપના દિવસ છે. અમારુ સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા 1838થી અમદાવાદમાં થતી દરેક હિલચાલ તેના વાચકો સુધી પહોંચાડતુ રહ્યું છે. આજે અમદાવાદના બર્થ ડે નિમિત્તે આ શહેરની ઓછી જાણીતી વાતો જાણીને તમારા આશ્ચર્યનો પાર નહિ રહે. બ્રિટિશ કાળથી વિકાસનું સમાનાર્થી રહ્યું છે આપણું અમદાવાદ અને અહીં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ આકાર લેતા રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્માર્ટ સિટી શબ્દ પણ નહતો શોધાયો ત્યારથી જ સ્માર્ટ સિટી છે આપણું અમદાવાદ.
1929માં અમદાવાદ-મુંબઈનું અંતર ચાર કલાકમાં કાપ્યુઃ
આજે આપણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની વાત કરીએ છીએ જે આપણને મુંબઈ ત્રણ કલાક કરતા પણ ઓછા સમયમાં પહોંચાડી દેશે. પરંતુ શું તમે જાણો છો કે 9 જૂન 1929માં અમેરિકન પાયલટ કેપ્ટન એન. વિન્ટસેન્ટે તેમની ભારતયાત્રા દરમિયાન ડે હેવિલેન્ડના ડીએસ-9 એરક્રાફ્ટમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ચાર કલાકમાં જ કાપી બતાવ્યું હતું? ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ તેમની આ યાત્રા વિગતે કવર કરી હતી. તેમની સાથે ફોટોગ્રાફર ડબલ્યુ.એ ચાઈલ્ડ્સ અને વેક્યુમ ઑઈલ કંપનીના ઈ.વૉલ્શ હતા. એક વર્ષ પછી અમેરિકાનું માસિક મેગેઝિન પોપ્યુલર સાયન્સ વાંચીને મનસુખલાલ પારેખે જામનગરમાં ટુ સીટર એરક્રાફ્ટ બનાવ્યું હતુ. ઝવેરીના પુત્ર પારેખે યુ.એસથી એરક્રાફ્ટનું એન્જિન આયાત કર્યું હતું અને કાર તથા સાઈકલમાંથી સ્પેરપાર્ટ્સ યુઝ કર્યા હતા. જામનગર રાજ્યએ તેમના કામથી પ્રભાવિત થઈને પારેખને કરાચી એરો ક્લબમાં તાલીમ માટે મોકલ્યા હતા જ્યાં જે.આર.ડી ટાટા તેમના સહપાઠી હતા.
ઈલેક્ટ્રિક ટ્રોલી બસઃ
94 વર્ષ પહેલા 1923માં અમદાવાદ મ્યુનિસિપાલિટીએ દેશની સૌપ્રથમ છ માઈલ વીજળીથી ચાલતી રેલ વિનાની ઈલેક્ટ્રિક ટ્રોલી બસ દોડાવાનું આયોજન કર્યું હતું. માર્ચ 2 1923ના રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં તેનો એક આખુ પાનુ ભરીને આર્ટિકલ છપાયો હતો. આર્ટિકલ મુજબ એ સમયે નેટવર્ક પાછળ 53,000 પાઉન્ડ્સનો ખર્ચ કરવાનું નક્કી કરાયું હતું. રિપોર્ટ મુજબ અમદાવાદમાં બર્મિંગહામમાં જે લેટેસ્ટ ટેક્નોલોજીની બસ દોડાવાતી હતી તે જ બસ અમદાવાદમાં શરૂ કરવાનું આયોજન કરાયુ હતુ. આ બસ રીલીફ રોડ પર દોડાવાની હતી. પરંતુ તેનો ભારે વિરોધ થતા આ પ્રસ્તાવ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અટવાઈ ગયો હતો. 1924માં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ ખાસ ઈલેક્ટ્રિક ટ્રોલી બસ ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ઘણા લોકો ઈચ્છતા હતા કે તેમાં કોઈ ખાનગી કંપનીઓ ભાગ ન લે. તેમાં એ સમયના કાઉન્સિલર સરદાર વલ્લભભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. તેમણે ખાનગી કંપનીઓને બહાર રાખવા માટે ખાસ આંદોલન કર્યું હતું.
ગવર્નર-વાઈસરોયની અમદાવાદ મુલાકાતઃ
અમદાવાદના ભવ્યાતિભવ્ય વારસાગત શિલ્પસ્થાપત્યોથી અંગ્રેજો પણ અંજાઈ જતા હતા. 8 જાન્યુઆરી 1946ના રોજ વાઈસરોય લોર્ડ વેવેલે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે ભદ્રના ટેરેસ પરથી ત્રણ દરવાજા નિહાળ્યા હતા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેમણે થોડી મિનિટો સુધી ભદ્ર પરથી જોતા શિલ્પ સ્થાપત્યોને જોવામાં ફાળવી હતી. એ દિવસે તેમણે કાંકરિયા તળાવની પણ મુલાકાત લીધી હતી. ગાંધીજી અને કસ્તૂરબાને અમદાવાદમાં આવકારવાની સેરેમની યોજાયાના 11 જ દિવસ બાદ 12 ફેબ્રુઆરી 1915ના રોજ ચીનુભાઈ બેરોનેટે અમદાવાદમાં ગવર્નર લોર્ડ વિલિંગડન અને તેમની પત્નીનું અમદાવાદમાં સ્વાગત કર્યું હતું. વિલિંગડને ગોધરાની પણ મુલાકાત લીધી હતી.
રેલવે સ્ટેશનઃ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ રિપોર્ટ કર્યો હતો કે 2 એપ્રિલ 1928ના રોજ બોમ્બે-બરોડા તથા સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે પ્લેટફોર્મનું કાલુપુર રેલવે સ્ટેશન પર રિમોડેલિંગ કરવામાં આવ્યું હતું. આ બંને પ્લેટફોર્મ અલગ અલગ શેડ અને સિગ્નલ સાથે બનાવાયા હતા. 1855 નવેમ્બરના રોજ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સુરત, બરોડા અને અમદાવાદ વચ્ચે નવી રેલવે લાઈન બનાવવાની શરૂઆત કરી. 1863માં કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ-સુરત વચ્ચે પહેલવહેલી ટ્રેન રવાના થઈ હતી.
102 વર્ષ પહેલા મળી વીજળીઃ
102 વર્ષ પહેલા મુંબઈની કિલિક, નિક્સન એન્ડ કંપનીએ મુંબઈમાં અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપનીની સ્થાપના કરી હતી. આ સાથે અમદાવાદ તથા આસપાસના 2.5 લાખ લોકોને વીજળી આપી હતી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ આ પ્લાન્ટની શરૂઆત અંગે 5 માર્ચ 1915ના રોજ રિપોર્ટ કર્યો હતો. આ કંપનીએ 95 કિલોવૉટના 3 ફેઝ ક્રોમ્પટન ઓલ્ટરનેટર વાળા 150 બીએચપીના ડીઝલ ઓઈલ એન્જિન નાંખ્યુ હતું જેને કારણે 50 સાઈકલ્સમાં 3300 વોલ્ટ વીજ ઉત્પાદન થતુ હતુ.
દારુબંધીની શરૂઆતઃ
21 જુલાઈ 1938માં પહેલીવાર અમદાવાદ ડ્રાય સિટી હતુ. એ દિવસે બુધવાર હતો. અમદાવાદીઓએ એક બોટલના આકારનું મોટુ પૂતળુ તૈયાર કર્યું હતું અને તેને દારુનો દાનવ ગણાવ્યો હતો. એ સમયે શહેરના હેલ્થ મિનિસ્ટર ડો. એમ ડી ડી ગિલ્ડર તથા અમદાવાદના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે શહેરની બધી જ લિકર શોપ બંધ કરાવી દીધી હતી.
ઈન્ટર સ્ટેશન રેડિયો ટૉકઃ
ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) દ્વારા ભારતમાં સૌથી પહેલુ ઈન્ટરસ્ટેશન ડિસ્કશન 18 જુલાઈ 1950ના રોજ અમદાવાદમાં શરૂ કરાયુ હતુ. તેમાં AIRના પ્રાણલાલ દેવકરણ નાનજી, અમદાવાદના મેયર ચીનુભાઈ શેઠે ભાગ લીધો હતો. આ ચેટ શોનો વિષય ઈન્ડસ્ટ્રીનો રૂખ વિષે ચર્ચા હતો.
ગુજરાતમાં મહાત્માના વારસદારઃ
વડોદરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અબ્બાસ તૈયબજીએ ગુજરાતમાં મહાત્મા ગાંધીની દાંડી કૂચ ચળવળની બાગડોર સંભાળી હતી. 9 મે 1930માં ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા આર્ટિકલ મુજબ દાંડી કૂચ પછી ગાંધીજીની ધરપકડ થઈ હતી. આ આર્ટિકલમાં તૈયબજી બાપુના મિશનને ગુજરાત તથા આસપાસના રાજ્યોમાં કેવી રીતે આગળ ધપાવશે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.