પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)નો નેતા હાર્દિક પટેલ શુક્રવારના રોજ નવ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો છે. તેનો દાવો છે કે તેના પર ખોટી રીતે દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આરક્ષણ માટે કરવામાં આવેલું આંદોલન દેશદ્રોહ કઈ રીતે હોઈ શકે? તેણે કહ્યું કે તે દિલ્હીમાં જેએનયૂ જઈને કન્હૈયા કુમારને મળશે અને રાષ્ટ્રદોહનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશે. જેલમાંથી બહાર આવીને તેણે બટૂકભાઈ ફાર્મ પર એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી.
તેણે કહ્યું કે તે જાણવા માંગે છે કે કન્હૈયા પર દેશદ્રોહનો આરોપ કઈ રીતે લગાવવામાં આવ્યો, જ્યારે કે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પર આવો આરોપ મુકવામાં નથી આવ્યો. હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે બીજેપી અધ્યક્ષ અમિત શાહના આવ્યા બાદ તેમને જામીન મળ્યા છે એવી અટકળો છે, તો તેણે કહ્યું કે, જો એવું છે તો તેનો મતલબ એ થાય છે કે ન્યાય વ્યવસ્થા નેતાઓના કહ્યા પ્રમાણે ચાલે છે.
તેણે કહ્યું કે તે જાણવા માંગે છે કે કન્હૈયા પર દેશદ્રોહનો આરોપ કઈ રીતે લગાવવામાં આવ્યો, જ્યારે કે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પર આવો આરોપ મુકવામાં નથી આવ્યો. હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે બીજેપી અધ્યક્ષ અમિત શાહના આવ્યા બાદ તેમને જામીન મળ્યા છે એવી અટકળો છે, તો તેણે કહ્યું કે, જો એવું છે તો તેનો મતલબ એ થાય છે કે ન્યાય વ્યવસ્થા નેતાઓના કહ્યા પ્રમાણે ચાલે છે.