એપશહેર

JNUમાં કન્હૈયા કુમારને મળશે હાર્દિક પટેલ

I am Gujarat 16 Jul 2016, 9:15 am
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)નો નેતા હાર્દિક પટેલ શુક્રવારના રોજ નવ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો છે. તેનો દાવો છે કે તેના પર ખોટી રીતે દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આરક્ષણ માટે કરવામાં આવેલું આંદોલન દેશદ્રોહ કઈ રીતે હોઈ શકે? તેણે કહ્યું કે તે દિલ્હીમાં જેએનયૂ જઈને કન્હૈયા કુમારને મળશે અને રાષ્ટ્રદોહનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશે. જેલમાંથી બહાર આવીને તેણે બટૂકભાઈ ફાર્મ પર એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી.
I am Gujarat hardik to meet kanhaiya in jnu
JNUમાં કન્હૈયા કુમારને મળશે હાર્દિક પટેલ


તેણે કહ્યું કે તે જાણવા માંગે છે કે કન્હૈયા પર દેશદ્રોહનો આરોપ કઈ રીતે લગાવવામાં આવ્યો, જ્યારે કે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પર આવો આરોપ મુકવામાં નથી આવ્યો. હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે બીજેપી અધ્યક્ષ અમિત શાહના આવ્યા બાદ તેમને જામીન મળ્યા છે એવી અટકળો છે, તો તેણે કહ્યું કે, જો એવું છે તો તેનો મતલબ એ થાય છે કે ન્યાય વ્યવસ્થા નેતાઓના કહ્યા પ્રમાણે ચાલે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો