એપશહેર

1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ

શિવાની જોષી | TNN 26 Sep 2019, 8:29 am
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે બુધવારે પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના જામીન નકાર્યા છે. 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઈકોર્ટે સંજીવ ભટ્ટને જામીન આપવાનો ઈનકાર કર્યો છે. આ કેસમાં જામનગર સેશન્સ કોર્ટે 20 જૂને સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા સંભળાવી હતી. જામજોધપુરના રહેવાસી પ્રભુદાસ વૈશ્નાનીને કથિત રીતે જેલમાં માર મારવામાં આવ્યો હતો અને 18 નવેમ્બર 1990ના રોજ કિડની ફેઈલ થતાં તેમનું મોત થયું હતું. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓને દોષી ઠેરવાયા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસેશન્સ કોર્ટના ચૂકાદાને પડકારતી અરજી સંજીવ ભટ્ટ દ્વારા 25 જુલાઈએ કરવામાં આવી હતી. તેમની સજા રદ કરવાની રજૂઆત કરતી અરજી પર જસ્ટિસ બેલા ત્રિવેદીના વડપણવાળી બેન્ચે સુનાવણી કરી હતી. સંજીવ ભટ્ટની જામીન અરજીની સુનવાણી દરમિયાન તેમના વકીલે દલીલ કરી કે, પ્રભુદાસ વૈશ્નાનીને થયેલી ઈજા અને તેમના મોતના કારણ વચ્ચે કોઈ સંબંધ નથી. ટ્રાયલ દરમિયાન ફરિયાદપક્ષ સાબિત નહોતો કરી શક્યો કે પ્રભુદાસ વૈશ્નાનીનું મોત ઈજાને લીધે થયું હતું.આ વાતને રદિયો આપતાં ફરિયાદ પક્ષના વકીલ મિતેશ અમીને કહ્યું કે, પ્રભુદાસ વૈશ્નાનીની કિડની ફેઈલ થઈ ગઈ કારણકે તેમની પાસે વધારે પ્રમાણમાં વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. તેની પાસે ઉઠક બેઠક કરાવાતી અને ભાંખડીએ ચલાવાતો હતો. તેની કિડની આ પ્રકારનું દબાણ સહન ના કરી શકી અને થોડા દિવસ બાદ હેમરેજના કારણે મોત થયું.સંજીવ ભટ્ટના વકીલે દલીલ કરી કે, દોષી ઠેરવ્યા બાદ તેમને જામીન મળી શકે છે કારણકે તેઓ 20 વર્ષથી વધુ સમય ચાલેલી કેસની ટ્રાયલ દરમિયાન પણ જામીન પર જ હતા. રાજ્ય સરકારે સામે દલીલ કરતાં કહ્યું કે, આ પ્રકારે જામીન માત્ર અપવાદરૂપ કેસમાં જ આપી શકાય. તેમણે પોરબંદર કસ્ટોડિયલ ડેથ કેસ, પાલનપુરનો ડ્રગ પ્લાન્ટિંગ કેસ અને તેમના હાથ નીચે કામ કરતાં કે.ડી. પંથ પાસે બળજબરીથી ખોટી એફિડેવિટ કરાવવાનું ઉદાહરણ આપતાં આરોપ મૂક્યો કે, સંજીવ ભટ્ટે અવારનવાર જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.મંગળવારે કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટે અરજીમાં જામનગરની સેશન્સ કોર્ટે ચલાવેલી ટ્રાયલ સામે ઊભા કરેલા વિવાદની ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે નોંધ્યું કે, આ બાબત ‘કોર્ટને બદનામ કરવા સમાન છે.’ સંજીવ ભટ્ટના સિનિયર વકીલ બી. બી. નાઈકે, આ મુદ્દે દિલગીરી વ્યક્ત કરી અને તે ફકરા ડિલીટ કરવા માટે કોર્ટની મંજૂરી માગી હતી. ઓગસ્ટ 2015માં ફરજ પર વારંવાર ગેરહાજર રહેવાને લીધે સંજીવ ભટ્ટને ડિસમિસ કરાયા હતા. હાલ તેઓ ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં પાલનપુર જેલમાં બંધ છે.‘ઠગ છે મેહુલ ચોક્સી, ભારત તપાસ માટે સ્વતંત્ર’
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો