એપશહેર

સરકારનો ખુલાસો: સિવિલમાં કોરોનાના હિન્દુ-મુસ્લિમ દર્દીઓને અલગ નથી રખાતા

નવરંગ સેન | I am Gujarat 14 Apr 2020, 8:13 am
અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના હિન્દુ અને મુસ્લિમ દર્દીઓને અલગ-અલગ રાખી સારવાર અપાતી હોવાના અહેવાલો પર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રદીયો આપતા જણાવ્યું છે કે, ધર્મના આધારે દર્દીઓને અલગ રાખવામાં નથી આવી રહ્યા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને તેમના લક્ષણો, ઈન્ફેક્શનની ગંભીરતા તેમજ ડોક્ટરોએ કરેલી ભલામણને આધારે સારવાર આપવામાં આવે છે.ગઈકાલે એક સ્થાનિક અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના હિન્દુ-મુસ્લિમ પુરુષ દર્દીઓને અલગ રાખવામાં આવે છે. કોઈ વિખવાદ ના થાય તે માટે વોર્ડ બહાર પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, સરકારે આવું કંઈ થતું હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો