એપશહેર

ઉત્તરાયણની ઉજવણી માટે અમિત શાહ અમદાવાદમાં, પરિવાર સાથે જગન્નાથ મંદિરના કર્યા દર્શન

અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં પોતાના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવે છે.

I am Gujarat 14 Jan 2021, 3:48 pm
અમદાવાદઃ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ભગવાન જગન્નાથની આરતી કરી.
I am Gujarat home minister amit shah visits jagannath temple with family
ઉત્તરાયણની ઉજવણી માટે અમિત શાહ અમદાવાદમાં, પરિવાર સાથે જગન્નાથ મંદિરના કર્યા દર્શન


જણાવી દઈએ કે અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદમાં પોતાના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મનાવે છે. જો કે કોરોનાના કારણે રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમો મુજબ માત્ર પરિવારના સભ્યો જ પતંગ ચગાવી શકે છે . આથી અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ નહીં ચગાવે, પરંતુ પરિવારના સભ્યો સાથે જ ઉત્તરાયણ મનાવશે.

ગૃહમંત્રીએ ગાયમાતાની પૂજા પણ કરી


આજે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ મંદિરે પરિવાર સાથે વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ગાય માતાની પણ પૂજા કરી હતી. અમિત શાહની જગન્નાથ મંદિરની મુલાકાતને લઈ જગન્નાથ મંદિરમાં સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો