એપશહેર

અ'વાદઃ કાલુપુરમાં મકાન ધરાશાયી 7ને બચાવાયા, 2 દટાયા

Tejas Jinger | I am Gujarat 28 Jul 2017, 9:42 am
અમદાવાદઃ અમદાવાદમાં બુધવારે આખી રાત અને ગુરુવારે અડધો દિવસ સુધી શહેરમાં થયેલા ભારે વરસાદના કારણે મધ્ય ઝોનમાં જૂના મકાનોને ભારે નુકસાન થયું હતું તો મકાન ધરાશાયી થયા હતા. આજ રીતે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર પાસે એક મકાન ધરાશાયી થયું છે, મકાન ધરાશાયી થવાના કારણે તેના કાટમાળ નીચે દટાયેલા 7 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 2 લોકો કાટમાળ નીચે દબાયેલા છે અને તેમની શોધખળ કરવામાં આવી રહી છે. શહેરમાં થયેલા ભારે વરસાદના બાદ માંડવીની પોળમાં એક મકાન ધરાશાયી થયું હતું જેના કાટમાળ નીચેથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર કઢાઈ હતી, ગુરુવારે AFESની ટીમને મકાન ધરાશાયી અને નુકસાન થયાના 9 જેટલા ફોન આવ્યા હતા અને ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી કરી હતી. સ્વામીનારાયણ મંદિર પાસે જર્જરીત મકાનને જોવા માટે લોકો એકઠા થઈ ગયા હતા આ દરમિયાન અચાન મકાનનો અમૂક ભાગ તૂટીને નીચે પડવાની સાથે આખું મકાન તૂટીને નીચે પડ્યું અને 9 લોકો તેની નીચે દટાઈ ગયા હતા જેમાંથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે કાટમાળ નીચે વધુ બે લોકો દટાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે અને તેમની શોધખોળ માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો