એપશહેર

પતિ શારિરિક સંબંધ નહોતો બાંધતો, પુરુષ મિત્ર સાથે હતું અફેર; પત્નીએ કરી પોલીસ ફરિયાદ

લગ્ન પછી પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીને શંકા ગઈ. અવાર નવાર દહેજ માટે ઝઘડા થતા પત્નીએ કારણ જાણવા પ્રયાસ કર્યો. વિગતો સામે આવતા તેના પગ હેઠળથી જમીન સરકી ગઈ હતી. તેના પતિએ જણાવ્યું કે તેને મહિલાઓમાં નહીં પરંતુ પુરુષોમાં રસ છે. આ અંગે પરિણિતાએ પિયરમાં ફરિયાદ કરી તો પણ કોઈએ એનો સાથ ન આપતા તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.

Authored byપાર્થ વ્યાસ | I am Gujarat 13 May 2023, 2:36 pm
અમદાવાદઃ ચાંદખેડાની એક 33 વર્ષીય મહિલાએ ગુરુવારે પોલીસ સ્ટેશને તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધીવી હતી. જેમાં પરિણિતાએ જણાવ્યું કે તેનો પતિ અન્ય પુરુષ સાથે સંબંધો ધરાવે છે. જેથી કરીને લગ્નના 4 વર્ષ પછી તેણે મને તરછોડી દીધી છે. વળી આ અંગે પતિએ પણ વાત છુપાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
I am Gujarat chandkheda police station
ચાંદખેડા પોલીસ સ્ટેશન


ફરિયાદી મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશને કરેલી FIRમાં જણાવ્યું હતું કે તેના પરિવારે 2017માં એક છોકરો શોધી આપ્યો હતો જેની સાથે મહિલાએ લગ્ન કરવાની હા પાડી દીધી હતી. તેમના લગ્ન પછી તરત જ, તેના પતિ અને સાસરિયાઓએ તેની સાથે નાની નાની બાબતો પર ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેના સસરા અને સાસુએ પણ વધારે દહેજની માગણી કરી દીધી હતી. આના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પિયરથી પણ કોઈએ મદદ ન કરી
ફરિયાદી મહિલાએ વધુમાં જણાવ્યું કે સાસુ-સસરા અંગે તે જ્યારે પણ પિયરમાં ફરિયાદ કરતી તો તેના માતા પિતા તેને ચુપ કરાવી દેતા હતા. તેઓ કહેતા હતા કે સાસરીપક્ષ તરફથી હંમેશ માટે આ પ્રમાણે ત્રાસ રહેશે નહીં. થોડો સમય પસાર કરી દે. ફરિયાદી મહિલાએ પતિનો ઉલ્લેખ કરી જણાવ્યું કે તે જ્યારે પણ પતિ સાથે શારિરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કરતી ત્યારે એ ના પાડી દેતો હતો.

પત્નીએ પતિને અવગણનાનું કારણ પૂછ્યું
સતત પતિ શારિરિક સંબંધ બાંધવાની ના પાડતો રહેતો હતો. તેવામાં પત્નીએ આનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં તેણે પૂછ્યું કે મારી સાથે લગ્ન જીવન બાદ પણ કેમ શારિરિક સંબંધો બાંધતા નથી. તેવામાં પતિએ જણાવી દીધું કે તેને મહિલાઓમાં નહીં પુરુષોમાં રસ છે. એટલું જ નહીં તેને એક બોયફ્રેન્ડ પણ છે અને બંને એકબીજા સાથે ઘણા ક્લોઝ છે.

સમલૈંગિક લગ્ન સમાજમાં સ્વીકાર્ય નથી એટલે તેણે મહિલા સાથે સંબંધ રાખ્યા હોવાનું જણાવ્યું. પિયરમાં મૂક્યા બાદ પતિએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. પત્નીએ ત્યારપછી ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story