એપશહેર

અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 30 હજારને પાર પહોંચી, મૃત્યુઆંક 1680 થયો

TNN 23 Aug 2020, 10:16 am
અમદાવાદઃ શનિવારે સાંજના 5 વાગ્યા સુધીમાં નોંધાયેલા નવા 179 કેસો સાથે અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસોનો આંકડો 30,000ને પાર પહોંચીને 30,015 થયો છે. એનાલિસિસ કરતા માલુમ પડે છે કે 10,000 કેસો છેલ્લા 57 દિવસમાં સામે આવ્યા, જેની દૈનિક એવરેજ 176 કેસ થાય છે. આ દરમિયાન 282 દર્દીઓના મોત થયા. આમ જિલ્લાનો કુલ મૃત્યુઆંક 1680 થયો છે.
I am Gujarat co


ગુજરાતમાં શનિવાર સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 1212 નવા કેસ આવ્યા. આ સાથે કુલ કેસોનો આંકડો 85,678 થઈ ગયો. અને 14 વધારે મોત સાથે મૃત્યુઆંક 2883 થઈ ગયો. આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોનાના કેસો 1200થી વધારે આવ્યા છે.

શનિવારે નોંધાયેલા મૃત્યુમાં સુરતમાં 6, અમદાવાદમાં 3, જૂનાગઢમાં 2 અને વડોદરા, કચ્છ તથા પાટણમાં 1-1 છે. નવા કેસોમાં સુરતમાં 238, અમદાવાદમાં 179, વડોદરામાં 122 અને રાજકોટમાં 99 છે.

સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ કેસોની સંખ્યા અનુક્રમે 18,288, 7077 અને 3852 થઈ છે. જ્યારે જામનગર અને અમરેલી જિલ્લામાં 80 અને 67 નવા કેસો નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ છે.

આ દરમિયાન શનિવારે 24 કલાકમાં કુલ 980 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા હતા. અત્યાર સુધી કોરોનાના કુલ 68,257 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં સુરતમાં 308, અમદાવાદમાં 176, રાજકોટમાં 85 અને વડોદરામાં 47 હતા.

બીજી તરફ રાજ્યમાં 24 કલાક દરમિયાન કુલ 75,258 ટેસ્ટ થયા હતા, જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ ટેસ્ટ છે. આ સાથે કુલ ટેસ્ટની સંખ્યા 16.95 લાખ થઈ છે. જ્યારે હાલમાં ગુજરાતમાં 4.69 લાખ લોકો ક્વોરન્ટાઈનમાં છે.

Read Next Story