એપશહેર

બે વર્ષથી પતિના અન્ય મહિલા સાથે સંબંધ, પત્નીએ પોતાને પ્રેમ ના મળતા નોંધાવી ફરિયાદ

અમદાવાદના શાહિબાગમાં પતિ પરિણીતાને બે વર્ષથી શારીરિક સંબંધોથી વંચિત રાખતો હોવાની બાબતે ફરિયાદ થઈ

TNN 13 Aug 2021, 8:29 am

હાઈલાઈટ્સ:

  • પતિના જીવનમાં લગ્ન પછી અન્ય મહિલા આવતા પરિણીતાને ત્રાસ પડવા લાગ્યો
  • પતિ પરિણીતાને બે વર્ષ જેટલા સમયથી પ્રેમ કે શારીરિક સુખ નહોતો પુરુ પાડતો
  • શાહિબાગની પરિણીતાની પતિ સામે તેની ઈચ્છાઓ અને હક પૂરા ના કર્યાની ફરિયાદ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat in shahibaugh husband depriving wife in relation for around two years she file complaint
બે વર્ષથી પતિના અન્ય મહિલા સાથે સંબંધ, પત્નીએ પોતાને પ્રેમ ના મળતા નોંધાવી ફરિયાદ
અમદાવાદઃ લગ્ન જીવન પછી જો કોઈ એક પાર્ટનર અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય કે અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખતી હોય તો તેના લીધે અન્ય પાર્ટનરે ઘણું ભોગવવું પડતું હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે જેમાં 28 વર્ષની શાહિબાગની પરિણીતા તેના પતિના અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધ હોવાથી શારીરિક સંબંધોથી વંચિત રહેવું પડી રહ્યું છે. આવું પરિણીતા સાથે પાછલા 2 વર્ષથી થઈ રહ્યું છે. આ સિવાય પરિણીતાને તેનો પતિ વારંવાર ધમકીઓ પણ આપતો હતો. (સાંકેતિક અને ફાઈલ તસવીર)
રાધિકા (નામ બદલ્યું છે)એ લગ્ન પછી ભોગવવી પડતી તકલીફ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં છે કે, મારા લગ્ન વર્ષ 2011માં થયા હતા, દાહોદના રહેવાસી મહિના પતિના બે વખત અગાઉ લગ્ન થઈ ચુક્યા છે.

47 વર્ષની કોરોનાગ્રસ્ત માતા અને એન્ટિબોડી સાથે જન્મેલા જોડિયા બાળકોને મળ્યું નવજીવન
પરિણીતા રાધિકા પોલીસકર્મીની દીકરી છે, જે ફરિયાદમાં જણાવે છે કે પોતાના પતિ સાથેના સંબંધો અગાઉ ઘણાં સારા હતા, પરંતુ પતિના અન્ય મહિલાના 2019માં આડા સંબંધો બંધાયા પછી પરિસ્થિતિ વણસી છે.

રાધિકા ફરિયાદમાં જણાવે છે કે, "પતિ દ્વારા મને પ્રેમ કે શારીરિક સંબંધનું સુખ નથી મળતું. જ્યારે મે મારા શારીરિક સુખના હક માટે પતિને જણાવ્યું તો તેણે મારી સાથે અસભ્ય વર્તન કરીને મને ધમકી આપી."

અમદાવાદ સહિત 4 જિલ્લામાંથી બાઈક ચોરીને વેચવાનું કૌભાંડ, 26 બાઈક સાથે 3ની ધરપકડ
પતિ 28 વર્ષની પરિણીતા રાધિકાને ઘર ખર્ચ માટે રૂપિયા આપવાના બદલે તે પોતાની પ્રેમિકા પાછળ ઉડાવી રહ્યો હોવાનો દાવો કર્યો છે. રાધિકાએ જણાવ્યું કે તેના પતિની પ્રેમિકા ફોન કરીને પતિને છોડી દેવાની માગણી કરી છે, આ સિવાય પતિની પ્રેમિકા આમ ના કર્યું તો મારી નાખવાની પણ ધમકી આપે છે.

જ્યારે રાધિકાએ પોતાના પરિવારમાં આવી પડેલી આફત અંગે તેના સાસરિયાને વાત કરી તો તેમણે આ માટે રાધિકાને જ જવાબદાર ઠેરવી અને પતિને છોડી દેવા માટે કહ્યું હતું.


સાસરિયામાં પડતા ત્રાસના કારણે પરિણીતા જુલાઈમાં પતિનું ઘર છોડીને પિયરમાં રહે છે, આ દરમિયાન વડીલો દ્વારા સમાધાન લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોકે, આમ છતાં પતિ દ્વારા સબંધોને બચાવવા માટે કોઈ પ્રયાસ કરાયો નહીં, આ પછી પરિણીતા દ્વારા ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.

Read Next Story