એપશહેર

ધો. 10 પાસ માટે ભારતીય રેલવે વિભાગે બહાર પાડી બંપર ભરતી

Mitesh Purohit | I am Gujarat 12 Dec 2019, 4:45 pm
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા ધો. 10 પાસ અને ITI પાસ માટે 667 ભરતી બહાર પાડી છે. એપ્રેન્ટિસની આ જગ્યાએ માટે રેલવેએ ઓનલાઇન અરજી મગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય રેલવેના સાઉથ રેલવેમાં એપ્રેન્ટિસ અંતર્ગત ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયલ, મિકેનિક અને અન્ય પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આ‌વશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. આ જગ્યાઓ પર ધોરણ 10 અને ITI પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જો કે, કેટલીક જગ્યાઓ માટે ધોરણ 12માં સાયન્સ સબ્જેક્ટ પણ અનિવાર્ય છે. અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવાની ફી રૂ. 100 છે. આ જગ્યા માટે અરજી કરવાની વય લાયકાત 23 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ અપાશે. ઉમેદવારો સાઉથ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ srindianrailway.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી માટે ધો. 10 અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. જેના ધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે કોઈ પરિક્ષા આપવી પડશે નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો