અસ્મિતા દવે > અમદાવાદ asmita.dave@timesgroup.com
આજે એક તરફ દ્વિઅર્થી મજાક અને બીજાનું અપમાન કરીને કે તેમની ઠેકડી ઉડાડીને કરવામાં આવતી મજાક બહુ પોપ્યુલર બની રહી છે. ટીવી પર કે વિવિધ સભાગૃહોમાં આ પ્રકારના અનેક કાર્યક્રમો જોવા મળે છે, જેને મોટી સંખ્યામાં લોકો ‘માણે’ છે. આ લોકો કદાચ ‘કોમેડી ઓફ એરર્સ’ને વલ્ગારિટી સાથે જોડી રહ્યા છે.
આ પ્રકારના શો ગમે તેટલી સંખ્યામાં યોજાય કે, ટેલિવીઝન પર તેને ગમે તેટલી ટીઆરપી મળે પણ સામાન્ય જીવનમાંથી પોતાના અવલોકન દ્વારા નિર્મળ અને ખડખડાટ હાસ્ટ શોધી કાઢતાં આપણા હાસ્યલેખકો અને હાસ્યકારો આજે પણ એવરગ્રીન છે. આજે પણ તેમનો મોટો ચાહક વર્ગ છે. જેમકે, શાહબુદ્દીન રાઠોડ, વિનોદ ભટ્ટ કે રતિલાલ બોરીસાગર.આ જ પ્રકારના હાસ્ય માટે દુનિયાભરમાં 1 જુલાઇના રોજ ઇન્ટરનેશનલ જૉક ડે ઉજવવામાં આવે છે. આ લોકો ઇન્ટરનેશનલ જૉક ડે પર અંગત જીવનના કેટલાક રમૂજી કિસ્સા જણાવે છે.
મેં ગાંધીજી સાથે તુલના કરવાનો લોભ જતો કર્યો
છાતીમાં ધુઃખાવાની તકલીફ શરૂ થયા પછી મારે ડોક્ટરની સલાહ અનુસાર સ્ટ્રેસ ટેસ્ટ કરાવવાનો હતો. આ વાતની જાણ થતાં અમદાવાદના એક મિત્રએ મને કહ્યું, ‘તમે ઇચ્છો તો ખર્ચ વગર પણ સ્ટ્રેસ ટેસ્ટ થઇ શકે.’ એ કહે કે, ‘સાત માળના ધાબા પર ઝડપથી ચડી જવાનું ને ત્યાં પહોંચીને ‘હા રામ!’ એમ કહેવાનું – જો તમે મોટેથી ‘હે રામ!’ બોલી શકો તો પછી કશી ચિંતા નહી.”
મેં પૂછ્યું કે, ‘પણ ‘હે રામ!’ જ કેમ બોલવાનું?’ ‘સાતમે માળે પહોંચ્યા પછી તમે જે બોલો તે આખરી શબ્દો પણ બની રહે . તો એ કહે, ‘ગાંધીજીના છેલ્લા શબ્દો ‘હે રામ!’ હતા. તમારા જીવન ચરિત્રમાં લખી શકાય કે, ગાંધીજીની જેમ તમે પણ છેલ્લે ‘હે રામ!’ બોલ્યા હતાં.’ એમાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને મેં ગાંધીજી સાથે તુલના કરવાનો લોભ જતો કર્યો. – રતિલાલ બોરીસાગર
ચા એ પી ગયો અને બિલ મેં ચુકવ્યુ એક વખત રાજકોટ સ્ટેશન પર એક માણસ મળી ગયો. મને કહે, તમે શાહબુદ્દીન રાઠોડ? એટલે મેં કહ્યું હા. તો કહે , ‘ચલો આપણે ચા પીએ.’ એટલે હું ગયો એની સાથે. એણે ચા નો ઓર્ડર આપ્યો. એણે ચા રકાબીમાં લીધી અને મને કપમાં આપી. ચા બહુ ગરમ હતી એટલે મારાથી પીવાતી નહોતી અને એ તો પાડો પાણી પીએ એમ હહડાટ કરતો ચા પી ગયો. એટલામાં એની ટ્રેઇન આવી ને એ જતો રહ્યો.
કિટલીવાળાએ મારી પાસે પૈસા માગ્યા. એ કોઇ વાતે માને જ નહિ. આમ ચા એ પી ગયો અને બિલ મારે ચુકવવાનું આવેલું. એક નાની જોક પણ ક્રાંતિ લાવી શકે છે. કારણ કે, માણસ જ્યારે ખડખડાટ હસે છે, ત્યારે તેના મનમાં વિચાર બંધ થઇ જાય છે. વિચાર ન હોય ત્યારે મનમાં યોગ આવે છે, આમ, હાસ્ય એ યોગનું પ્રવેશદ્વાર છે. – શાહબુદ્દીન રાઠોડ
એક મંત્રીએ મારા પર બે કરોડનો દાવો માંડ્યો એક મંત્રીશ્રી હતાં, જે દારૂબંધી ખાતુ સંભાળતા હતાં. એમનો દીકરો દારૂનો ધંધો કરતો હતો. આ મંત્રીએ એક વખત એવું નિવેદન આપ્યું કે, મને તમે દારૂનો ધંધા કરતાં બુટલેગરોના નામ મોકલો હું તેમની વિરુદ્ધ પગલાં લઇશ અને તેમને પકડવાની વ્યવસ્થા કરીશ. મેં મારા લેખમાં લખ્યું કે, પ્રજાને શું કરવા પૂછો છો. તમારા દિકરાને જ પૂછો. તમને પાક્કું લિસ્ટ મળશે. તો એ મંત્રીએ ગુસ્સે થઇને મારા પર બે કરોડનો દાવો માંડેલો. પણ આજ સુધી કોઇ કેસ ચાલ્યો નથી. -વિનોદ ભટ્ટ
આજે એક તરફ દ્વિઅર્થી મજાક અને બીજાનું અપમાન કરીને કે તેમની ઠેકડી ઉડાડીને કરવામાં આવતી મજાક બહુ પોપ્યુલર બની રહી છે. ટીવી પર કે વિવિધ સભાગૃહોમાં આ પ્રકારના અનેક કાર્યક્રમો જોવા મળે છે, જેને મોટી સંખ્યામાં લોકો ‘માણે’ છે. આ લોકો કદાચ ‘કોમેડી ઓફ એરર્સ’ને વલ્ગારિટી સાથે જોડી રહ્યા છે.
આ પ્રકારના શો ગમે તેટલી સંખ્યામાં યોજાય કે, ટેલિવીઝન પર તેને ગમે તેટલી ટીઆરપી મળે પણ સામાન્ય જીવનમાંથી પોતાના અવલોકન દ્વારા નિર્મળ અને ખડખડાટ હાસ્ટ શોધી કાઢતાં આપણા હાસ્યલેખકો અને હાસ્યકારો આજે પણ એવરગ્રીન છે. આજે પણ તેમનો મોટો ચાહક વર્ગ છે. જેમકે, શાહબુદ્દીન રાઠોડ, વિનોદ ભટ્ટ કે રતિલાલ બોરીસાગર.આ જ પ્રકારના હાસ્ય માટે દુનિયાભરમાં 1 જુલાઇના રોજ ઇન્ટરનેશનલ જૉક ડે ઉજવવામાં આવે છે. આ લોકો ઇન્ટરનેશનલ જૉક ડે પર અંગત જીવનના કેટલાક રમૂજી કિસ્સા જણાવે છે.
મેં ગાંધીજી સાથે તુલના કરવાનો લોભ જતો કર્યો
છાતીમાં ધુઃખાવાની તકલીફ શરૂ થયા પછી મારે ડોક્ટરની સલાહ અનુસાર સ્ટ્રેસ ટેસ્ટ કરાવવાનો હતો. આ વાતની જાણ થતાં અમદાવાદના એક મિત્રએ મને કહ્યું, ‘તમે ઇચ્છો તો ખર્ચ વગર પણ સ્ટ્રેસ ટેસ્ટ થઇ શકે.’ એ કહે કે, ‘સાત માળના ધાબા પર ઝડપથી ચડી જવાનું ને ત્યાં પહોંચીને ‘હા રામ!’ એમ કહેવાનું – જો તમે મોટેથી ‘હે રામ!’ બોલી શકો તો પછી કશી ચિંતા નહી.”
મેં પૂછ્યું કે, ‘પણ ‘હે રામ!’ જ કેમ બોલવાનું?’ ‘સાતમે માળે પહોંચ્યા પછી તમે જે બોલો તે આખરી શબ્દો પણ બની રહે . તો એ કહે, ‘ગાંધીજીના છેલ્લા શબ્દો ‘હે રામ!’ હતા. તમારા જીવન ચરિત્રમાં લખી શકાય કે, ગાંધીજીની જેમ તમે પણ છેલ્લે ‘હે રામ!’ બોલ્યા હતાં.’ એમાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને મેં ગાંધીજી સાથે તુલના કરવાનો લોભ જતો કર્યો. – રતિલાલ બોરીસાગર
ચા એ પી ગયો અને બિલ મેં ચુકવ્યુ એક વખત રાજકોટ સ્ટેશન પર એક માણસ મળી ગયો. મને કહે, તમે શાહબુદ્દીન રાઠોડ? એટલે મેં કહ્યું હા. તો કહે , ‘ચલો આપણે ચા પીએ.’ એટલે હું ગયો એની સાથે. એણે ચા નો ઓર્ડર આપ્યો. એણે ચા રકાબીમાં લીધી અને મને કપમાં આપી. ચા બહુ ગરમ હતી એટલે મારાથી પીવાતી નહોતી અને એ તો પાડો પાણી પીએ એમ હહડાટ કરતો ચા પી ગયો. એટલામાં એની ટ્રેઇન આવી ને એ જતો રહ્યો.
કિટલીવાળાએ મારી પાસે પૈસા માગ્યા. એ કોઇ વાતે માને જ નહિ. આમ ચા એ પી ગયો અને બિલ મારે ચુકવવાનું આવેલું. એક નાની જોક પણ ક્રાંતિ લાવી શકે છે. કારણ કે, માણસ જ્યારે ખડખડાટ હસે છે, ત્યારે તેના મનમાં વિચાર બંધ થઇ જાય છે. વિચાર ન હોય ત્યારે મનમાં યોગ આવે છે, આમ, હાસ્ય એ યોગનું પ્રવેશદ્વાર છે. – શાહબુદ્દીન રાઠોડ
એક મંત્રીએ મારા પર બે કરોડનો દાવો માંડ્યો એક મંત્રીશ્રી હતાં, જે દારૂબંધી ખાતુ સંભાળતા હતાં. એમનો દીકરો દારૂનો ધંધો કરતો હતો. આ મંત્રીએ એક વખત એવું નિવેદન આપ્યું કે, મને તમે દારૂનો ધંધા કરતાં બુટલેગરોના નામ મોકલો હું તેમની વિરુદ્ધ પગલાં લઇશ અને તેમને પકડવાની વ્યવસ્થા કરીશ. મેં મારા લેખમાં લખ્યું કે, પ્રજાને શું કરવા પૂછો છો. તમારા દિકરાને જ પૂછો. તમને પાક્કું લિસ્ટ મળશે. તો એ મંત્રીએ ગુસ્સે થઇને મારા પર બે કરોડનો દાવો માંડેલો. પણ આજ સુધી કોઇ કેસ ચાલ્યો નથી. -વિનોદ ભટ્ટ