એપશહેર

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનારા IPS રજનીશ રાય સસ્પેન્ડ

Hitesh Mori | I am Gujarat 20 Dec 2018, 8:56 pm
I am Gujarat ips officer rajneesh rai suspended sohrabuddin encounter case
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનારા IPS રજનીશ રાય સસ્પેન્ડ


ગુજરાત કેડરના આઈપીએસ સસ્પેન્ડ

IPS અધિકારી રજનીશ રાય (ફાયલ તસવીર) અમદાવાદઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ બાદ ચર્ચામાં આવેલા ગુજરાત કેડરના IPS અધિકારી રજનીશ રાયને કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાયના રાજીનામા અને સ્વેચ્છીક નિવૃતિ (VRS)નો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેમને ફરજ પર તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં તેઓ ફરજ પર હાજર ન રહેતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

રજનીશ રાયે VRS માટે અરજી કરી છે

IPS અધિકારી રજનીશ રાય (ફાયલ તસવીર) રજનીશ રાય છેલ્લે આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલી સી.આર.પી.એફ.ની કાઉન્ટર ઇન્સર્જન્સી એન્ડ એન્ટિ ટેરરિઝમ સ્કૂલ(સી.આઈ.એ.ટી.)માં ઇન્સપેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. 23ઓગસ્ટ, 2018ના રોજ રજનીશ રાયને 50 વર્ષ પૂર્ણ થતા તેમણે વી.આર.એસ. માટે અરજી કરી હતી પરંતુ ગૃહ વિભાગ તરફથી કોઈ જવાબ ન આવતા તેમણે રિમાઇન્ડર મોકલ્યા હતા. આ મામલે રજનીશ રાયે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની અમદાવાદ બેંચમાં અરજી કરી છે.

સોહરાબુદ્દીન કેસથી આવ્યા ચર્ચામાં

કૌસરબી અને સોરાબુદ્દીન (ફાઈલ ફોટો) 2005માં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થયું હતું બાદમાં કૌસરબીની પણ હત્યા થઈ હોવાનો આરોપ પણ લાગેલો છે. ત્ચારબાદ 2006માં તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતુ. આ એન્કાઉન્ટરમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના કેટલાક અધિકારીઓએ મળીને કરી હોવાનો આરોપ છે. આ કેસની તપાસ તે સમયે આઈપીએસ રજનીશ રાય કરતા હતા. તે સમયે ચર્ચામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો