એપશહેર

જામનગર BJPના પથારીવશ ઉમેદવારે સોશિયલ મીડિયાની મદદથી જીતી ચૂંટણી

જામનગરના ઉમેદવાર ગોપાલ સોરઠીયાને અકસ્માત થયો હતો જેના કારણે તેઓ પોતાના વિસ્તારમાં પ્રચાર માટે જઈ શક્યા ન હતા

I am Gujarat 24 Feb 2021, 8:00 pm
અમદાવાદઃ સોશિયલ મીડિયાની તાકાત કેટલી છે તે સમગ્ર વિશ્વ જાણે છે અને ભાજપના એક ઉમેદવારે સોશિયલ મીડિયાની તાકાતનો ઉપયોગ કરીને ચૂંટણી જીતી લીધી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)માં ભાજપના ઉમેદવાર પથારીવશ હોવા છતાં તેમણે ચૂંટણી જીતી લીધી છે. એક માર્ગ અકસ્માતના કારણે તેમનો પગ તૂટી ગયો હતો.
I am Gujarat sorathiya


ભાજપના આ ઉમેદવાર છે ગોપાલ સોરઠીયા જેમને વોર્ડ-7 માટે ટિકિટ મળવાની હતી તેના બે દિવસ પહેલા જ તેમને અકસ્માત થયો હતો. તેમના બંને પગ પ્લાટર આવી ગયું હતું જેના કારણે તેઓ પથારીવશ બન્યા હતા. જોકે, સોરઠિયાએ સોશિયલ મીડિયા પર આક્રમક કેમ્પેન ચલાવ્યું હતું અને વધુમાં વધુ મતદારો સુધી પહોંચ્યા હતા.

તેઓ પોતાનું ભાષણ રેકોર્ડ કરતા હતા અને બાદમાં તેને 10,000 લોકોને મોકલતા હતા. તેઓ 9,000 મતદાતાઓને ટેક્સ્ટ મેસેજ મોકલતા હતા જ્યારે 30,000 લોકોને એસએમએસ મોકલતા હતા.

સોરઠીયાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મતદાતાઓ અપેક્ષા રાખતા હોય છે કે ઉમેદવારો તેમને રૂબરૂમાં મળે પરંતુ હું ચાલવા સક્ષમ ન હતો. તેથી મારા મતદારો સુધી પહોંચવા માટે મેં સોશિયલ મીડિયાની મદદ લીધી હતી અને હું નસીબદાર છું કે હું લોકોને મને મત આપવા માટે સમજાવી શક્યો.

કાર્યકરો વિડીયો કોલિંગ દ્વારા મારા અને મતદાતાઓના સંપર્કમાં રહ્યા હતા અને મેં તેમને મત માટે અપીલ કરી હતી, તેમ તેમણે કહ્યું હતું. સોરઠીયા 2010થી પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને 2015મા પણ તેઓ ચૂંટણી લડ્યા હતા. તેઓ વોર્ડ-8મા રહે છે પરંતુ તેમને વોર્ડ-7ની ટિકિટ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, મારા મતદાતાઓ નવા હતા પરંતુ સોશિયલ મીડિયા કેમ્પેન કામ કરી ગયું.

Read Next Story