એપશહેર

જિગ્નેશ મેવાણીની ચીમકીઃ 'રાવણ'ને કંઈ થયું તો...

Gaurang Joshi | I am Gujarat 27 Jan 2018, 7:32 pm
I am Gujarat jignesh mevani tweets about bhim armys chandra shekhar ravan
જિગ્નેશ મેવાણીની ચીમકીઃ 'રાવણ'ને કંઈ થયું તો...


જિગ્નેશ મેવાણીએ આપી ચેતવણી

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરીએકવાર સહારનપુર હિંસા મામલે આરોપી અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફ રાવણના પક્ષમાં ટ્વિટ કરી છે. તેમણે ભીમ આર્મીના સંસ્થાપકને બીજેપી માટે ડેન્જરસ ગણાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે ચંદ્રશેખરને એ માટે જ નિશાન પર લેવામાં આવ્યાં છે. તેણે ચેતવણી આપતા અંદાજમાં લખ્યું છે કે ચંદ્રશેખરને કંઇપણ થયું તો લોકતંત્ર માટે ઠીક નહીં થાય.

કર્યું આવું ટ્વિટ

કહ્યું, ‘લોકતંત્ર માટે સારૂ નહીં થાય’

કોણ છે ચંદ્રશેખર

નોંધનીય છે કે ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર પર સહારનપુરમાં હિંસાનો આરોપ છે અને તે જેલમાં બંધ છે. ચંદ્રશેખર વિરૂદ્ધ અનેક એફઆઇઆર છે. એક મામલામાં સહારનપુર અને 4 મામલામાં હાઇકોર્ટ અલાહાબાદમાંથી જામીન મળ્યાં હતાં. જામીન પછી સહારનપુરમાં રાસુકા લગાવી તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે પછી ભીમ આર્મી, પ્રશાસન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રહી છે. ભીમ આર્મીએ રાસુકા લગાવવાના વિરોધમાં યુપીના દરેક જિલ્લામાં ભૂખ હડતાલ અને પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. જોકે, પ્રશાસને સ્થાનિક ચૂંટણીના કારણે કલમ 144 લાગુ કરવાની અનુમતિ આપી નહોતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો