એપશહેર

અમદાવાદની રથયાત્રામાં કેજરીવાલના પોસ્ટર!!

I am Gujarat 6 Jul 2016, 10:58 am
નવગુજરાતસમય.કોમ
I am Gujarat kejriwals poster appeared in rathyatra in ahmedabad
અમદાવાદની રથયાત્રામાં કેજરીવાલના પોસ્ટર!!


આજે અમદાવાદમાંથી નીકળેલી જગન્નાથની 139મી રથયાત્રામાં જમાલપુર વિસ્તારમાં કેજરીવાલના પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા રથયાત્રાના રુટ પર મંડપ બાંધવામાં આવ્યો હતો, તેમજ કેજરીવાલના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે રાજ્યમાં 2017માં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી છે અને કેજરીવાલ પણ ગુજરાત આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર મોટા પાયે કામ કરી રહી છે, અને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી સક્રિયતા દાખવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો