એપશહેર

‘દેશ માટે 32 વર્ષ પાકિસ્તાન રહ્યો, સરકારે 32 રુપિયાની પણ મદદ ના કરી’, કુલદીપ યાદવે ઠાલવી વ્યથા

28 વર્ષ પાકિસ્તાનની જેલમાં સજા કાપીને અમદાવાદના કુલદીપ યાદવ આખરે વતન પાછા ફર્યા છે. કુલદીપ યાદવ ભારતીય જાસૂસ તરીકે પાકિસ્તાન પહોંચ્યા હતા, પરંતુ પકડાઈ જતાં તેમને જેલની સજા સંભળાવવામાં આવી હતી. કુલદીપ યાદવની ફરિયાદ અને સાથે માંગ પણ છે કે તેમને સરકાર તરફથી પૂરતી નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવવી જોઈએ.

Authored byAshish Chauhan | Edited byZakiya Vaniya | TNN 4 Sep 2022, 10:56 am




અમદાવાદ- પાકિસ્તાનમાં 32 વર્ષ સજા કાપ્યા પછી આખરે કુલદીપ યાદવ પોતાના વતન પાછા ફર્યા છે. ચોક્કસપણે 3 દશકાઓ પછી પરિવારને મળવાની ખુશી અજોડ હશે, પરંતુ કુલદીપ યાદવને રાજ્ય સરકાર સામે ફરિયાદ પણ છે. કુલદીપ યાદવનું કહેવું છે કે, તેમણે 32 વર્ષ પાકિસ્તાનમાં પસાર કર્યા, પણ રાજ્ય સરકારે તેમને 32 રુપિયા પણ નથી આપ્યા, જેથી તેઓ જીવનની નવી શરુઆત કરી શકે.

ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવની ઉંમર અત્યારે 59 વર્ષ છે અને લાંબો સમય જેલમાં પસાર કરવાને કારણે તેઓ અસ્વસ્થ બની ગયા છે. તેમને હૃદયને લગતી સમસ્યા થઈ છે. આ સાથે જ તે ટીબી, Hepatitis B(લિવરમાં ઈન્ફેક્શન) અને હર્નિયાનો પણ શિકાર બન્યા છે. સ્વાસ્થ્યને લગતી આટલી બધી સમસ્યાઓ સાથે તેમના માટે આ ઉંમરે જીવનની નવી શરુઆત કરવી મુશ્કેલ છે. તેઓ જણાવે છે કે, મારી સરકાર પાસે એટલી જ માંગ છે કે મને આગળનું જીવન સન્માનભેર જીવી શકું તેટલી નાણાંકીય સહાય આપવામાં આવે.

અમદાવાદના કુલદીપ યાદવ 28 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહીને આવ્યા, ઘરવાળા તેમને ઓળખી પણ ના શક્યા
કુલદીપ યાદવ જણાવે છે કે, સરકાર તરફથી કોઈ મને મળવા પણ નથી આવ્યું. મેં આ દેશ માટે કેટલું બલિદાન આપ્યું અને મને સામે કંઈ જ નથી મળ્યું. જ્યારે 15મી માર્ચ, 1991ના રોજ મને પાકિસ્તાન જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો ત્યારે મારી ઉંમર 27 વર્ષ હતી. ઉલ્લેખનીય છે કે 22 જૂન, 1994ના રોજ પાકિસ્તાનની સુરક્ષા એજન્સી દ્વારા કુલદીપની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન સ્થિત પંજાબના ઓકારા જિલ્લામાં તેમની ધરપકડ થઈ હતી. તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ 22મી ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા અને વાઘા બોર્ડરથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા.

કુલદીપ યાદવ પોતાની પીડા વ્યક્ત કરતાં જણાવે છે કે, મને ઘર અને નાણાંકીય સહાયની જરૂર છે, જેથી હું સ્વમાનભેર આગળનું જીવન પસાર કરી શકુ. અત્યારે હું મારા નાના ભાઈ દિલીપ અને બહેન રેખા પર નિર્ભર છું. મને પેન્શન મળવું જોઈએ અને આર્મીના નિવૃત્ત જવાનોને જે સુવિધાઓ મળે છે તે મને પણ મળવી જોઈએ. કુલદીપના ભાઈ દિલીપ અને બહેન રેખા તે સમયને યાદ કરતાં જણાવે છે કે, કુલદીપ 1991માં એકાએક ગાયબ થઈ ગયા હતા. મારા પિતાએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જેથી મારા ભાઈને શોધવામાં મદદ મળે, પરંતુ અમે નહોતા મળી શક્યા.

5 વર્ષ પહેલાં એક્ટિવા પર જતી મહિલાનું પર્સ ખેંચતા મોત થયુ હતું, મોબાઈલે કેસ ઉકેલ્યો
કુલદીપ યાદવ જમાવે છે કે ડિસેમ્બર 1996માં કોર્ટ માર્શલ પછી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 1997માં તેમણે પરિવારને પત્ર લખીને પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની જાણકારી પૂરી પાડી હતી. દિલીપ જણાવે છે કે, તે સમયે અમે ખુશ પણ હતા અને દુખી પણ હતા. અમને ખુશી હતી કે ભાઈ જીવિત છે પણ પાકિસ્તાનની જેલમાં હોવાને કારણે દુખ પણ થયુ હતું. કુલદીપ જણાવે છે કે, દેશની સેવા કરવાની ધગશ મારામાં હતી. માટે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ભાગ લેતો હતો. તે સમયે મને આ તક મળી જે મેં ઝડપી લીધી. પણ તેનું પરિણામ કરુણ આવ્યુ હતું.

કુલદીપ યાદવ પોતાનો અનુભવ જણાવે છે કે, પાકિસ્તાનના ઘણાં લોકોને ભારતીય પસંદ હોય છે. મારી સાથે એક પોલીસ ઈન્સ્પેક્ટર જેલમાં બંધ હતા. એ સિવાય એક બેન્ક મેનેજર સાથે પણ મારી મિત્રતા થઈ ગઈ હતી. તેમણે મને નાણાંકીય સહાયની પણ ઓફર આપી હતી.

Read Next Story