એપશહેર

કચ્છ બની ગયું છે ગુજરાતનું ફ્લેમિંગો હબ, 12 લાખ પક્ષીઓ આવ્યા

Mitesh Purohit | I am Gujarat 16 Feb 2020, 9:21 am
હિમાંશુ કૌશિક, ગાંધીનગરઃ નળ સરોવર અને કચ્છ ગુજરાતમાં યાયાવર પક્ષીઓ માટે એખ સુરક્ષિત જગ્યા બન્યા છે. અંદાજે 12 લાખ જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓ આ જગ્યાએ તાજેતરમાં કરવામાં આવેલ પક્ષી ગણતરીમાં સામે આવ્યા છે. જે પૈકી 5.5 લાખ પક્ષીઓ ફ્લેમિંગો પ્રજાતિના છે. જેમાંથી 3 લાખ પક્ષીઓ તો તાજા જન્મેલા બચ્ચા છે. 2019માં પહેલીવાર સત્તાવાર રીતે કરવામાં આવેલ પક્ષી ગણતરીમાં જાણવા મળ્યું કે કચ્છમાં 8.8 લાખ યાયાવર પક્ષીઓએ અહીં આવીને નિવાસ કર્યો છે. જ્યારે નાના રણમાં 4 લાખ અને મોટા રણમાં 4.85 લાખ પક્ષીઓ આવ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:જોકે સૌથી મોટા અહેવાલ તો એ આવ્યા કે એકલા કચ્છમાં જ પક્ષી ગણતરીમાં 5 લાખ ફ્લેમિંગો જોવા મળ્યા છે. જેમાંથી 3 લાખ નવા જન્મેલા બચ્ચા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે કચ્છ દેશમાં પક્ષીઓ માટે સૌથી સુરક્ષિત બ્રીડિંગ સાઈટ તરીકે ઉભરી રહ્યું છે. આ આંકાડાથી ઉત્સાહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ કચ્છના નાના રણ અને મોટા રણને રામસર સાઈટ સાથે જોડવા માટે પ્રપોઝલ પણ મુકી છે.જ્યારે 3.15 લાખ પક્ષીઓ સાથે નળસરોવર ગુજરાતની એક માત્ર એવી જગ્યા બની છે જ્યાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ પક્ષીઓ એક જ જગ્યાએ જોવા મળ્યા હોય. જે 2018માં કરવામાં આવેલ ગણતરીના આંકડા 1.43 લાખ કરતા ઘણા વધારે છે. અધિકારીઓએ કહ્યું કે જોકે 2019માં ઓછા વરસાદને કારણે નળ સરોવર સુકાઈ ગયું હતું અને તેની અસર ફ્લેમિંગોની સંખ્યા પર પણ પડી છે. 2000ની શરુઆતમાં એકલા નળ સરોવરમાં 20000થી વધુ ફ્લેમિંગો હતા જે હવે માત્ર 3000 જેટલા બચ્યા છે.આ વસ્તી ગણતરીમાં જોવા મળ્યું કે જે નળ સરોવર 2018માં 131 જેટલી જુદી જુદી પ્રજાતિના પક્ષીઓનું ઘર હતું ત્યાં 2019માં 122 પ્રજાતિના જ પક્ષીઓ રહ્યા હતા. જ્યારે અમદાવાદ નજીક આવેલ થોલ સરોવર આસપાસ 87 પ્રજાતિના પક્ષીઓ કુલ 57000 જેટલા જોવા મળ્યા હતા. જ્યારે 2018માં અહીં 92 પ્રજાતિના 40000 પક્ષીઓ હતા.

Read Next Story