એપશહેર

ગાંધીનગરમાં રુપિયાની ભૂખી સુંદરીના લીધે છોકરાએ અંતિમ પગલું ભર્યું, હવે પેલી ગાયબ

યુવતીની સતત રુપિયાની માગણીને સંતોષવા માટે પટેલ યુવકે દેવું પણ કર્યું હતું, અંતિમ ચિઠ્ઠીમાં કર્યો હતો ખુલાસો

I am Gujarat 14 Jun 2021, 11:29 am

હાઈલાઈટ્સ:

  • યુવક પાસે યુવતી સતત રુપિયાની માગણી કરતી હતી
  • સતત રુપિયાની માગણીથી કંટાળીને આખરે આપઘાત કર્યો
  • ગાંધીનગરની યુવતીની રુપિયાની માગણી સાથે સંબંધ તોડવાની ધમકી
  • યુવકના મૃત્યુ પછી ધમકી આપનારી ગાંધીનગરની યુવતી ગાયબ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat lady partner not found after man lost life in gandhinagar police searching
ગાંધીનગરમાં રુપિયાની ભૂખી સુંદરીના લીધે છોકરાએ અંતિમ પગલું ભર્યું, હવે પેલી ગાયબ
ગાંધીનગરઃ વાવોલના વિપુલ પટેલ નામના વેપારીએ આપઘાત કર્યાની ઘટનામાં મળેલી ચિઠ્ઠીના આધારે થયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે યુવકનું આ પગલું ભરવા પાછળનું કારણ એક યુવતી છે. વિપુલના પરિવારજનોએ આ યુવતી સામે ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, વિપુરના મોત બાદ થયેલી પોલીસ ફરિયાદ પછી યુવતી ગુમ થઈ ગઈ છે. નોંધનીય છે કે, મૃતક યુવકે ચિઠ્ઠીમાં યુવતીનો ઉલ્લેખ કરીને પોતાની પાસેથી નાણા પડાવવામાં આવી રહ્યા હોવાની વાત કરી હતી જેના આધારે યુવતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગાંધીનગરમાં સેક્ટર-4માં રહેતી રિંકુ રમેશભાઈ માલાણીના સંબંધ વિપુલ સાથે હોવાનું સામે આવ્યા પછી પોલીસે આ કેસમાં તપાસ કરી હતી. જેમાં રિંકુના ઘરે જઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. રિંકુ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે સેક્ટર-4/Cમાં રહેતી રિંકુની તપાસ માટે પોલીસ તેના ઘરે તપાસ કરવા માટે પહોંચી હતી જોકે, તેનો કોઈ પત્તો ના લગતા અલગ-અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. હવે આ ટીમોના આધારે રિંકની શોધખોળ કરવામાં આવી રહી છે.

ચાંદખેડામાં યુવક એર હોસ્ટેસના રૂમમાં ઘૂસીને તેની જોડે સૂઈ ગયો, જાતીય સતામણીની ફરિયાદ
નોંધનીય છે કે, મૃત્યુ પામેલા યુવક વિપુલના ભાઈ નવનીતકુમાર ભોગીલાલ પટેલ કે જેઓ વાવોલમાં જ રહે છે તેમણે પોતાના ભાઈના આપઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી. મૃતક અને ફરિયાદી બન્ને ભાઈઓ સાતેક વર્ષથી વાવોલમાં રહીને શાકભાજીની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આવામાં 7મી જૂનના રોજ સવારે નવનીતકુમારને તેમના માસીનો સવારે સાડા 10 વાગ્યે ફોન આવ્યો કે તેમને તેમના ભાઈ વિપુલની ચિઠ્ઠી મળી આવી છે.

ત્રીજી લહેર પહેલાની તૈયારી, બાળકોને સુરક્ષિત રાખવા મા-બાપ રસી માટે આગળ આવે
આપઘાત પહેલા વિપુલે લખેલી ચિઠ્ઠીમાં રિંકુ (રિના)નો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિપુલે ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે રીનાએ પોતાનું જીવન નર્ક બનાવી દીધું. ચિઠ્ઠી મળ્યા પછી તપાસ કરતા વિપુલનું બાઈક ઝુંડાલ બ્રિજ નીચેથી બાઈક મળી આવ્યું હતું અને પછી બપોરે ખોરજ નજીકથી લાશ મળી આવી હતી. વિપુલની અંતિમ ક્રિયા બાદ ચિઠ્ઠીના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં રિંકુ દ્વારા અવાર-નવાર માગણી કરાઈ હતી.

સતત રિંકુ દ્વારા કરાતી રુપિયાની માગણીના લીધે વિપુલે પોતાના ભાગીદાર અને મિત્રો પાસેથી રુપિયા ઉછીના લીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે. રિંકુએ રુપિયા ના મળે તો સંબંધ તોડી નાખવાની ધમકી આપ્યા બાદ વિપુલે રિંકુની રુપિયાની ભૂખ સંતોષવા માટે પોતાના માતાના દાગીના પણ ગીરવી મૂક્યા હતા, આ પછી પણ સતત રુપિયાની માગણી ચાલુ રહેતા આખરે વિપુલે અંતિમ પગલું ભર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો