પ્રશાંત રુપેરા અને નિયતિ પરીખ, અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની સીઝનમાં આઈસક્રીમ ખાવાની સૌથી વધારે મજા આવે. પરંતુ તે ‘જીવન-જરૂરિયાતની વસ્તુ’માં ન આવતો હોવાથી સ્ટોક હોવા છતાં પાર્લરવાળા તેનું વેચાણ કરી રહ્યા નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: અમદાવાદમાં રહેતા પાર્થિવ શાહની જ વાત કરીએ તો, તેમની સાત વર્ષની દીકરીએ આઈસક્રીમ ખાવાની જીદ્દ પકડી. જે બાદ તેઓ આઈસક્રીમ લેવા માટે સેટલાઈટમાં આવેલા અમૂલ મિલ્ક પાર્લરમાં ગયા પરંતુ પાર્લરના માલિકે તેમને આપવાની સ્પષ્ટ ના પાડી દીધી.‘પાર્લના માલિકે મને કહ્યું કે આઈસક્રીમનો સ્ટોક તો છે પરંતુ તે જીવન-જરૂરિયાતની વસ્તુમાં આવતો નથી. તેથી જો તેનું વેચાણ કર્યું તો તેમણે દંડ ભરવો પડશે’, તેમ શાહે જણાવ્યું.ગુજરાતમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જાય છે, દર ઉનાળામાં આટલી ડિગ્રી તાપમાનમાં આઈસક્રીમનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ આ વખતે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે તેનું વેચાણ પણ ઘટ્યું છે. સરકારની ગાઈડલાઈનમાં સ્પષ્ટતાના અભાવના કારણે કેટલાક આઈસક્રીમ પાર્લરના માલિકોએ પોતાની દુકાન બંધ કરી દીધી છે. જેના કારણે મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સને આ વખતે વાર્ષિક આવકમાં 60 ટકા જેટલો ઘટાડો થશે.દરરોજ 12 લાખ લિટરના આઈસક્રીમના ઉત્પાદનની ક્ષમતા ધરાવતા અમૂલે પણ કેટલીક વેરાયટીઓને છોડીને બાકીના પ્લાન્ટ્સમાં આઈસક્રીમનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. ‘આઈસક્રીમના વેચાણમાં 95 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ગયા મહિનાના અંત સુધીમાં 85 ટકા હતો. હાલની પરિસ્થિતિમાં આઈસક્રીમના વેચાણમાં 60 ટકાનો ઘટાડો યથાવત્ છે’, તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના MD આર.એસ. સોઢીએ જણાવ્યું.‘સરકાર તરફથી આઈસક્રીમ ન વેચવાના કોઈ આદેશો નથી પરંતુ એજન્સીઓમાં ગેરસમજના પગલે ગ્રાહકોને આઈસક્રીમ આપવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો હતો’, તેમ સોઢીએ જણાવ્યું.ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ આઈસક્રીમના વાર્ષિક વેચાણમાંથી 60 ટકા વેચાણ માર્ચથી મધ્ય જૂન દરમિયાન થાય છે. આઈસક્રીમનું પ્રોડક્શન હાલ બંધ હોવાથી માર્કેટમાં જે સ્ટોક છે તેનું ઉત્પાદન ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવ્યું હતું.વેચાણમાં ઘટાડો થતાં વાર્ષિક આવકમાં પણ જબરદસ્ત ફટકો પડવાનો છે. શીત્તલ કૂલ પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર ભુપતભાઈ ભુવાએ કહ્યું કે, ‘અંદાજ પ્રમાણે અમને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે’.‘ભાવ વધારે હોવા છતાં સારી કમાણીની આશાએ ઉનાળાના મહિનામાં કાચા માલની વધારે ખરીદી કરવામાં આવે છે. જો કે, આ સીઝન અમારા મારે ફાજલ સાબિત થઈ છે. આ ઈન્ડસ્ટ્રી માટે સૌથી કપરો સમય છે. જો લાંબા સમય સુધી આમ ચાલ્યું તો નાના પાર્લર ધરાવતા માલિકો શટર પાડી લેશે’, તેમ Huber and Hollyના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ ચોનાએ કહ્યું.હાલમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આઈસક્રીમ પાર્લર ફરીથી ખોલવા અંગે પ્રેઝન્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું. ‘જો રેસ્ટોરાં અને ફૂડ આઈટ્મ્સને આ મોડેલમાં સંચાલિત કરવાની મંજૂરી આપી શકાય તો પછી આઈસક્રીમને કેમ નહીં’, તેમ GCCI ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીએ કહ્યું. કોરોના વાયરસની અસરઃ આ વખતે અમદાવાદીઓને ટીવી પર જોવી પડશે રથયાત્રા