એપશહેર

એશિયાની સૌથી લાંબું આયુષ્ય ધરાવતી અને ગીરની શાન સિંહણ 'રાજમાતા'નું 20 વર્ષે મોત

Reported byHimanshu Kaushik | TNN 25 Aug 2020, 9:13 am
અમદાવાદઃ એશિયામાં સૌથી લાંબું જીવનાર સિંહણ રાજમાતાનું 20 વર્ષની ઉંમરે મોત થયું છે. રાજમાતાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા. પાલિતાણા નજીક વડાલ એનિમલ કેર સેન્ટરમાં રવિવારે તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેની ઉંમર સાથે અન્ય જે બાબતથી લોકો ચોંકી ઉઠ્યા હતા તે તેની પ્રેગ્નેન્સી છે. તે સાત વખતની પ્રેગ્નેન્સીમાં 15 સિંહબાળને જન્મ આપી ચૂકી છે, જે એશિયાટિક સિંહોમાં એક રેકોર્ડ છે.
I am Gujarat raj mata


ઉપરાંત અમરેલીના લીલીયા ક્રાકંચમાં રહેલા 50-60 સિંહો-સિંહણોની સંખ્યા પણ આ રાજમાતાનો વંશ હોય તેમ માનવામાં આવે છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીનિયર રિસર્ચર વાય.વી ઝાલા કહે છે, એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે. રાજમાતા એક અપવાદ છે. તે 20 વર્ષ સુધી જીવી અને સાત વાર સિંહબાળને જન્મ આપ્યો. તેમણે જ 2008માં સિંહણ પર રિસર્ચ માટે રેડિયો કોલર પહેરાવ્યો હતો.

શેત્રુંજય વાઈલ્ડ લાઈફ ડિવિઝનના જિલ્લા વન અધિકારી નિશા રાજે રાજમાતાના મોતની ખબરની પુષ્ટિ કરી હતી. રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે મોત થયું હતું. રાજમાતા સહિત અન્ય સિંહોની સંખ્યાનું નજીકથી નિરિક્ષણ કરનારા બે ડોક્ટર્સ જલ્પન રૂપાપરા અને પુર્વેશ કાચાએ કહ્યું કે, તેણે છેલ્લીવાર 2018માં સિંહબાળને જન્મ આપ્યો હતો. જોકે તે જ વર્ષે સિંહબાળ ગુમ થઈ જતા રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું. આ સિંહબાળનો અન્ય સિંહોએ શિકાર કરી નાખ્યો હોવાનું મનાય છે.

રૂપાપરા મુજબ, અમારા અભ્યાસ દરમિાયન અમે પહેલી પ્રેગ્નેન્સી બાદની તમામ છ પ્રેગ્નેન્સી જોઈ છે. પોતાની પહેલી, બીજી અને ત્રીજી પ્રેગ્નેન્સી દરમિયાન રાજમાતાએ દરેક વખતે 3 સિંહબાળને જન્મ આપ્યો હતો. કાચા કહે છે, ચોથી અને પાંચમી પ્રેગ્નેન્સીમાં બે-બે સિંહબાળ જન્મ્યા હતા. જ્યારે છેલ્લી બંને પ્રેગ્નેન્સીમાં એક-એક સિંહબાળને જન્મ આપ્યો. જોકે બંનેનો શિકાર થઈ ગયો હતો.

રૂપાપરાના કહેવા મુજબ, લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં તે મહત્વપૂર્ણ છે. 2016માં જ સ્થાનિક લોકો દ્વારા આ સિંહણને રાજમાતા નામ આપવામાં આવ્યું હતું, તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘુસવા નહોતી દેતી.

ફોરેસ્ટ અધિકારીઓ પાંજરામાં પૂરતા હાંફી ગયા હતા
એકવાર રાજમાતા પોતાનો રસ્તો ભૂલી ગઈ અને ગોંડલ સુધી પહોંચી ગઈ. રાજમાતા સહિત તેના ત્રણ સિંહબાળને પકડવામાં ફોરેસ્ટ વિભાગને સાત દિવસ લાગ્યા હતા. ફોરેસ્ટ અધિકારીઓ તેમને પકડવા પાંજરા મૂકતા જોકે રાજમાતા દરેક ટ્રેપમાંથી છટકી જતી. રૂપાપરા કહે છે, પોતાના પહેલાના અનુભવોના આધારે તે પાંજરાથી બચીને નીકળી જતી અને પકડાયા વિના રોજનું 15-20 કિલોમીટર અંતર કાપતી હતી. જોકે સાતમા દિવસે વન વિભાગે તેને ઈન્જેક્શન મારીને બેભાન કરી અને શક્કરબાગ ઝૂમાં લઈ ગયા.

જ્યારે સ્થાનિક લોકોને જાણ થઈ કે રાજમાતાને શક્કરબાગ ઝૂમાં પૂરવામાં આવી છો તો તેમણે તેને છોડવા માટે આંદોલન શરૂ કરી દીધું હતું. બાદમાં સીનિયર ફોરેસ્ટ અધિકારીના પત્ર બાદ 6 મહિને રાજમાતાને છોડવામાં આવી હતી. ત્યારથી 2008થી રાજમાતાએ લીલીયા-ક્રાકંચમાં પોતાનો દબદબો બનાવેલો હતો.
લેખક વિશે
Himanshu Kaushik
Himanshu Kaushik is Senior Assistant Editor at The Times of India, Ahmedabad. He reports on Wildlife and state government. He takes special interest in reporting on wildlife, especially the lions of Gir. His likes listening to music.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો