એપશહેર

મહિલા દિવસ ગયો પણ રાજ્ય સરકારે ન પાળ્યું LRD મહિલા ઉમેદવારોને આપેલું વચન

Mitesh Purohit | I am Gujarat 9 Mar 2020, 11:37 am
અમદાવાદઃ LRD ભરતી વિવાદમાં આંદોલનકારી મહિલાઓએ પોતાનું આંદોલન સરકારના વચન પર ભરોસો રાખીને સમેટી લીધું હતું. જેમાં સરકારે તેમને આશ્વાસન આપ્યું હતું કે 8 માર્ચના રોજ મહિલા દિવસે એવા તમામ ઉમેદવાર જેમણે પરીક્ષામાં 62.5% ગુણ મેળવ્યા છે તેમને નિમણૂંક પત્ર આપવામાં આવશે. જોકે મહિલા દિવસ આવીને ચાલ્યો પણ ગયો તેમ છતા સરકારે આવો કોઈ નિમણુંક પત્ર કોઈપણ ઉમેદવારને સોંપ્યો નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:LRD ભરતી વિવાદમાં કેટલાય દિવસો સુધી મહિલાઓએ આંદોલન કર્યા બાદ સરકારે ગત મહિને એક વચલો રસ્તો કાઢતા ખાસ ફોર્મ્યુલા રજૂ કરી હતી. ગત મહિને 24 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવતા હોવાના કારણે વિરોધને સમેટી લેવા માટે સરકારે અનેક વાયદાઓ સાથે આંદોલનકારીઓ સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું.16 ફેબ્રુઆરીએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે પરીક્ષા આપનાર ઉમેદવારો પૈકી જેમને પણ 62.5%થી વધુ માર્ક મળ્યા હશે તે તમામને નિમણુંક પત્રો આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે એકલી આરક્ષણ કેટેગરીમાંથી જ કુલ 5227 ઉમેદવારોને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે.જોકે LRD આંદોલનકારીઓ પૈકી વૈશાલી બામણીયાએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “સરકારે જાહેરાત કરી તેના ત્રણ સપ્તાહથી વધુ સમય થઈ ગયો તેમ છતા હજુ સુધી કંઈ જ થયું નથી. સરકારે તમામ 62.5%થી વધુ માર્ક મેળવનાર ઉમેદવારોને નિમણુંક પત્ર આપવાની વાત કરી હતી જોકે હજુ સુધી એકપણ ઉમેદવારને નિમણુંક પત્ર મળ્યો નથી.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો