એપશહેર

અમદાવાદ નજીક કરોડોના લક્ઝરી બંગલો ખરીદનારા ભરાઈ ગયાઃ છેક એક દાયકા પછી મળી મોટી રાહત

Ahmedabad Luxury Bungalow: સનાથલ અને તેલાવ ગામ વચ્ચે 3380 યુનિટની એક લક્ઝરી બંગલો સ્કીમને છેક એક દાયકા પછી BU પરમિશન આપવામાં આવશે. ગોકુલધામ સ્કીમમાં વ્યક્તિગત બંગલોને બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં તથા પ્લાનને મંજૂર કરવામાં કોઈ ગોટાળો થયો હતો કે નહીં તે બાબતની તપાસ ચાલી હતી. એક દાયકા પછી અહીં સિવિક સુવિધાઓ અપાશે.

Edited byઅજિત ગઢવી | Authored byJignesh Parmar | ETMarkets.com 25 Aug 2022, 12:07 pm
અમદાવાદ નજીક સનાથલ અને તેલાવ ગામ વચ્ચે 3380 યુનિટની એક લક્ઝરી બંગલો સ્કીમને છેક એક દાયકા પછી બીયુ પરમિશન અપાય તેવી શક્યતા છે. સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલ ઈન્કવાયરી કમિટીએ આ સ્કીમ માટેના બંધનો દૂર કરીને તેને માન્યતા આપી છે. ઇન્કવાયરી કમિટીએ એ બાબતની તપાસ કરવાની હતી કે ગોકુલધામ સ્કીમમાં વ્યક્તિગત બંગલોને બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં તથા પ્લાનને મંજૂર કરવામાં કોઈ ગોટાળો થયો હતો કે નહીં. આ ઉપરાંત 50 હેક્ટરના પ્લોટમાંથી 40 ટકા જમીન કપાત કરવાની છૂટછાટ માન્ય ગણાય કે નહીં.
I am Gujarat Gokuldham
ગોકુલધામ બંગલો સ્કીમ


ગોકુલધામ લક્ઝરી બંગલો સ્કીમ પાંચ લાખ ચોરસ મીટર અથવા 50 હેક્ટરમાં પથરાયેલી છે અને લગભગ 2000 કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવે છે. ઇન્કવાયરી કમિટી પાસેથી લીલી ઝંડી મળ્યા પછી ઔડા આ એરિયા માટે સ્પેશિયલ ટાઉનપ્લાનિંગ સ્કીમ મુકશે અને આ વિસ્તારમાં પ્રોપર્ટીના માલિકોને સિવિક સુવિધાઓ મળશે. 13 એપ્રિલ 2022ના રોજ આ ઇન્કવાયરી રિપોર્ટ તૈયાર કરાયો હતો. 22 ઓગસ્ટે તે ઔડાના બોર્ડ સમક્ષ મુકાયો હતો. આ સ્કીમ 70 અને 80A સબપ્લોટ વચ્ચે આવેલી છે.

50 હેક્ટરની સ્કીમને ફરજિયાત 40 ટકા જમીન કપાતના નિયમમાંથી મંજૂરી શા માટે આપવામાં આવી તે અંગે સ્થાનિક ધારાસભ્યે વાંધો ઉઠાવ્યા પછી માર્ચ 2014થી ઔડાએ બીયુ પરમિશન આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ નવેમ્બર 2019માં આ અંગે કમિટીની રચના કરાઈ હતી.

29 એપ્રિલ 2006ના રોજ જીડીસીઆરના એક એક્ઝમ્પશન રુલ હેઠળ સ્કીમને સૌથી પહેલાં માન્યતા અપાઈ હતી. આ નિયમ પ્રમાણે સબ-પ્લોટિંગના કેસમાં આ સબ-પ્લોટ પર બની રહેલા બિલ્ડિંગ યુનિટ્સ 1000 ચોરસ મીટરથી નાના હોવા જોઈએ, બિલ્ડિંગની ઉંચાઈ 7 મીટરથી વધારે હોવી ન જોઈએ અને કોઈ પણ ફ્લોરનો મહત્તમ બિલ્ટ અપ એરિયા પ્લોટ એરિયાના 20 ટકાથી વધારે હોવો ન જોઈએ. આ સ્કીમ રેસિડેન્શિયલ R2 ઝોનમાં આવેલ છે. સામાન્ય સંજોગોમાં GDCR-2002 પ્રમાણે R2 ઝોનમાં 45 ટકા ગ્રાઉન્ડ કવરેજની જરૂર હોય છે અને 1.2ની FSI મળે છે. બિલ્ડિંગની ઉંચાઈ વધુમાં વધુ 10 મીટર રરાખી શકાય છે. 13 એપ્રિલે ઇન્કવાયરી કમિટીએ ઔડા દ્વારા અપાયેલી ડેવલપમેન્ટ પરમિશનને માન્ય રાખીન જણાવ્યું કે આ છૂટછાટ જીડીસીઆર-2002ની જોગવાઈઓને અનુરૂપ છે અને 40 ટકા કપાતનો કોઈ સવાલ નથી.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો