નવગુજરાત સમય > ગાંધીનગર
રાજ્યમાં વરસાદ ખેંચાતા ગણ્યાગાંઠ્યા જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો પાણીની તંગીને કારણે હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી દહેશતને પગલે રાજ્ય સરકારે નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે માસ્ટર પ્લાન ઘડવાના આદેશ કર્યા છે. નાગરિકોને નર્મદાનું વધારાનું પાણી આપવા માટેનો માસ્ટર પ્લાન આગામી ૧૦ દિવસમાં તૈયાર થઈ જશે તેવું પાણી પૂરવઠા પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે.
રાજ્યમાં પહેલા રાઉન્ડના વરસાદ પછીનો વરસાદ ખેંચાયો છે. જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારો કોરા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આકાશી ખેતી કરતા ખેડૂતોએ પહેલા વરસાદ બાદ વાવેતર કર્યું પરંતુ ત્યારબાદ વરસાદ ન પડતા બિયાંરણ નિષ્ફળ ગયા છે અને જગતનો તાત એવા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. રાજ્યમાં પાણીની કાયમી તંગી ભોગવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર અને અમરેલી જિલ્લાને બાદ કરતા મોટાભાગના વિસ્તારોના ડેમના તળિયા દેખાઈ ગયા છે. વરસાદ ન પડવાથી તમામ ડેમોમાં નવા પાણીની આવક ન થતાં નાગરિકોને પીવાના પાણીના ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં પાણી પૂરવઠા પ્રધાન રૂપાણીએ સોમવારે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજકોટ, જામનગરના મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સંભવિત સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પાણી પૂરવઠા પ્રધાને જણાવ્યું કે, વરસાદ ન પડતા ડેમોમાં નવા પાણીની આવક નથી. સ્થાનિક સ્ત્રોત સૂકાઈ ગયા હોવાથી પીવાના પાણી માટે નર્મદાનું પાણી એકમાત્ર આધાર છે. જો કે, નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક હોવાથી ઓગસ્ટ મહિના સુધી વરસાદ ન આવે તો પણ નાગરિકોને પીવાનું પાણી મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, પીવાનું પાણી પહોંચાડવા માટેનું આગોતરું આયોજન હાથ ધરાયું છે. ૧૦ દિવસમાં પ્લાન તૈયાર થઈ જશે.
પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતો વ્યક્તિગત દાવો કરી શકે: સરકાર રાજ્યમાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને નુકસાનના વળતર માટે રાજ્ય સરકારની કૃષિ નીતિમાં જોગવાઈ છે એમ, કૃષિ પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું છે. ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જોડાવાની અપીલ કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, આ યોજના અંતર્ગત વ્યક્તિગત રીતે કોઈપણ ખેડૂત પાક નિષ્ફળ જવાના ફોટા રજૂ કરીને પણ નુકસાનીનું ૨૫ ટકા વળતર મેળવી શકે છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ગણ્યાગાંઠ્યા જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો પાણીની તંગીને કારણે હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી દહેશતને પગલે રાજ્ય સરકારે નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે માસ્ટર પ્લાન ઘડવાના આદેશ કર્યા છે. નાગરિકોને નર્મદાનું વધારાનું પાણી આપવા માટેનો માસ્ટર પ્લાન આગામી ૧૦ દિવસમાં તૈયાર થઈ જશે તેવું પાણી પૂરવઠા પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે.
રાજ્યમાં પહેલા રાઉન્ડના વરસાદ પછીનો વરસાદ ખેંચાયો છે. જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારો કોરા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આકાશી ખેતી કરતા ખેડૂતોએ પહેલા વરસાદ બાદ વાવેતર કર્યું પરંતુ ત્યારબાદ વરસાદ ન પડતા બિયાંરણ નિષ્ફળ ગયા છે અને જગતનો તાત એવા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. રાજ્યમાં પાણીની કાયમી તંગી ભોગવતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર અને અમરેલી જિલ્લાને બાદ કરતા મોટાભાગના વિસ્તારોના ડેમના તળિયા દેખાઈ ગયા છે. વરસાદ ન પડવાથી તમામ ડેમોમાં નવા પાણીની આવક ન થતાં નાગરિકોને પીવાના પાણીના ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં પાણી પૂરવઠા પ્રધાન રૂપાણીએ સોમવારે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજકોટ, જામનગરના મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સંભવિત સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પાણી પૂરવઠા પ્રધાને જણાવ્યું કે, વરસાદ ન પડતા ડેમોમાં નવા પાણીની આવક નથી. સ્થાનિક સ્ત્રોત સૂકાઈ ગયા હોવાથી પીવાના પાણી માટે નર્મદાનું પાણી એકમાત્ર આધાર છે. જો કે, નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક હોવાથી ઓગસ્ટ મહિના સુધી વરસાદ ન આવે તો પણ નાગરિકોને પીવાનું પાણી મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, પીવાનું પાણી પહોંચાડવા માટેનું આગોતરું આયોજન હાથ ધરાયું છે. ૧૦ દિવસમાં પ્લાન તૈયાર થઈ જશે.
પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતો વ્યક્તિગત દાવો કરી શકે: સરકાર રાજ્યમાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને નુકસાનના વળતર માટે રાજ્ય સરકારની કૃષિ નીતિમાં જોગવાઈ છે એમ, કૃષિ પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું છે. ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જોડાવાની અપીલ કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, આ યોજના અંતર્ગત વ્યક્તિગત રીતે કોઈપણ ખેડૂત પાક નિષ્ફળ જવાના ફોટા રજૂ કરીને પણ નુકસાનીનું ૨૫ ટકા વળતર મેળવી શકે છે.