એપશહેર

અમદાવાદઃ તહેવારોની સીઝન બાદ શહેરની કેટલાક બજારો આજે ખુલશે

Mitesh Purohit | TNN 1 Nov 2019, 9:20 am
અમદાવાદઃ મોટાભાગના વેપાર જે દિવાળીના કારણે આ સપ્તાહની શરુઆતમાં બંધ થયા હતા. જેના કારણે કામકાજના કલાકોમાં અમદાવાદના કોમર્શિયલ વિસ્તારોના રોડ જે મોટાભાગને ટ્રાફિકથી ભરપૂર હોય ખાલીખમ્મ લાગતા હતા. પરંતુ હવે તહેવારોની સીઝન પૂરી થવાની તૈયારીમાં હોઈ ફરીથી આજથી અમદાવાદના રસ્તા પર વધુ ચહલપહલ જોવા મળશે. જોકે કેટલીક બજારોને બાદ કરતા મોટાભાગના ધંધા-વેપાર આગામી સોમવારથી જ રાબેતા મુજબ શરુ રહેશે. પરંપરાગત રીતે લાભપાચમથી વેપારીઓ પોતાની દુકાન ખોલતા હોય છે. જે આ વર્ષે શુક્રવારે આવે છે. દિવાળી બાદ આ દિવસથી વેપારની શરુઆત કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ શુક્રવાર બાદ ફરી શનિ-રવિ આવતા હોવાના કારણે મોટાભાગના લોકોએ સોમવારથી વેપાર-ધંધાના સ્થળો ખોલશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ગુજરાત ટ્રેડર ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે, ‘શુક્રવારથી અનેક રીટેઇલ, ગ્રોસરી અને હોલસેલ માર્કેટ ખુલશે જેથી માર્કેટમાં થોડી ચહલપહલ દેખાશે. જ્યારે કેટલાક લોકો જે ખાસ પ્રોડક્ટના વેપાર સાથે જોડાયેલા છે તેઓ રવિવારે સાતમનું મુહૂર્ત કરશે. જેથી સમગ્ર માર્કેટ સોમવારથી જ ખુલશે.’Video: મહા વાવાઝોડના કારણે લક્ષદ્વિપ ટાપુ પરથી લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતરરતનપોળ કાપડ વેપારી એસોસિએશનના પ્રમુખ મુકેશ શેઠે કહ્યું કે, “અમારી બજારમાં લોકો મૂહુર્ત બાબતે એકદમ ચોક્કસ છે. માટે શુક્રવારે લાભપાચમથી જ માર્કેટ ખુલી જશે. જોકે માર્કેટની રંગત તો સોમવારથી જ જોવા મળશે.’જ્યારે મોટાભાગના વેપાર-ઉદ્યોગ અને ધંધાવાળાનું કહેવું છે કે વીકેન્ડ આવતા હોવાથી મુહૂર્તની પૂજા તો નવા વર્ષા દિવસે કરી લેવામાં આવી છે અને હવે દુકાનો અને ઓફિસ સોમવારથી જ ખુલશે. વર્ષમાં આ એક જ સમય આવે છે જ્યારે અમે રીલેક્સ થઈએ છીએ. જેથી અમે સોમવારથી જ દુકાન-ઓફિસ ખોલીશું. તેમ મસ્કતી કાપડ વેપારી એસોસિએશનના ગૌરંગ ભગતે જણાવ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો