અમદાવાદઃ 25 વર્ષની યુવતી સાથે બનેલા જીવલેણ દુર્ઘટનાનો કેસ કયા પોલીસ સ્ટેશનમાં નોંધાશે તે નક્કી કરવામાં ગાંધીનગર જિલ્લાના ડભોડા અને ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ 1 મહિનાનો સમય લગાડ્યો.
આવું એટલા માટે થયું કારણ કે મૃતક યુવતીના પતિનું નિવેદન નોંધનારી ચિલોડા પોલીસ મુજબ, યુવતીને પહેલી ઈજા ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રસ્તામાં પડેલા ખાડાના કારણે થઈ હતી, આ કારણે તેમણે નિવેદન નોંધ્યા બાદ ફરિયાદ દાખલ કરવાથી ઈનકાર કરી દીધો. એવામાં સવાલ એ થાય છે કે શું આ કેસને પહેલા ખાડાથી ગણવો જોઈએ, જ્યાંથી યુવતીને ઈજા પહોંચી અથવા બીજા ખાડાથી જ્યાં યુવતીને વધારે ઈજા પહોંચી.
પોલીસ ફરિયાદ મુજબ, 25 વર્ષની કાજલ પટેલ નામની યુવતી પોતાના પતિ શૈલેશ પટેલ સાથે સાબરકાંઠાના પ્રાંતિજથી દમણ જઈ રહી હતી. આ કપલ 20મી નવેમ્બરે પ્રાંતિજથી પ્રાઈવેટ બસમાં વાપી જઈ રહ્યું હતું, જેમાં લિંબડિયા ગામ પાસે નર્મદા કેનાલ નજીકથી પસાર થતા સમયે ડ્રાઈવરની બેદરકારી અને સ્પીડના કારણે બસને સખત આંચકો લાગ્યો હતો.
આ સમયે કાજલ અપર સ્લીપર સીટમાં બેઠી હતી અને ખાડાના કારણે બસને આંચકો લાગતા તેનું માથું બસની છત સાથે અથડાયું હતું એવામાં તેને પાંસળીમાં આંતરિક ઈજા પહોંચી હતી. બે મિનિટ પછી ખાડાના કારણે ફરીથી બસ ઉછળી અને તેને ફરી ઈજા પહોંચી.
પાંચ મિનિટ બાદ ડ્રાઈવરે બસ થોભાવી અને કાજલ ઠીક નહોતી અનુભવી રહી, એવામાં તેના પતિએ તેને બસમાંથી ઉતારીને રીક્ષામાં નરોડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયો. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ વધારે મોંઘી હોવાથી પતિ તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો.
21મી નવેમ્બરની સાંજે ટ્રિટમેન્ટ દરમિયાન કાજલનું મોત થઈ ગયું. દુર્ઘટના સમયે બીજો ખાડો ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી પોલીસ શૈલેષનું સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તેમને પહેલા ખાડા વિશે માલુમ પડ્યું જે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો, એવામાં તેમણે ફરિયાદ નોંધવાથી ઈનકાર કરી દીધો. શૈલેષે ફરિયાદ નોંધવા માટે કરેલી અરજીને અને FIRને બાદમાં ડભોડા પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
આવું એટલા માટે થયું કારણ કે મૃતક યુવતીના પતિનું નિવેદન નોંધનારી ચિલોડા પોલીસ મુજબ, યુવતીને પહેલી ઈજા ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રસ્તામાં પડેલા ખાડાના કારણે થઈ હતી, આ કારણે તેમણે નિવેદન નોંધ્યા બાદ ફરિયાદ દાખલ કરવાથી ઈનકાર કરી દીધો. એવામાં સવાલ એ થાય છે કે શું આ કેસને પહેલા ખાડાથી ગણવો જોઈએ, જ્યાંથી યુવતીને ઈજા પહોંચી અથવા બીજા ખાડાથી જ્યાં યુવતીને વધારે ઈજા પહોંચી.
પોલીસ ફરિયાદ મુજબ, 25 વર્ષની કાજલ પટેલ નામની યુવતી પોતાના પતિ શૈલેશ પટેલ સાથે સાબરકાંઠાના પ્રાંતિજથી દમણ જઈ રહી હતી. આ કપલ 20મી નવેમ્બરે પ્રાંતિજથી પ્રાઈવેટ બસમાં વાપી જઈ રહ્યું હતું, જેમાં લિંબડિયા ગામ પાસે નર્મદા કેનાલ નજીકથી પસાર થતા સમયે ડ્રાઈવરની બેદરકારી અને સ્પીડના કારણે બસને સખત આંચકો લાગ્યો હતો.
આ સમયે કાજલ અપર સ્લીપર સીટમાં બેઠી હતી અને ખાડાના કારણે બસને આંચકો લાગતા તેનું માથું બસની છત સાથે અથડાયું હતું એવામાં તેને પાંસળીમાં આંતરિક ઈજા પહોંચી હતી. બે મિનિટ પછી ખાડાના કારણે ફરીથી બસ ઉછળી અને તેને ફરી ઈજા પહોંચી.
પાંચ મિનિટ બાદ ડ્રાઈવરે બસ થોભાવી અને કાજલ ઠીક નહોતી અનુભવી રહી, એવામાં તેના પતિએ તેને બસમાંથી ઉતારીને રીક્ષામાં નરોડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયો. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ વધારે મોંઘી હોવાથી પતિ તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો.
21મી નવેમ્બરની સાંજે ટ્રિટમેન્ટ દરમિયાન કાજલનું મોત થઈ ગયું. દુર્ઘટના સમયે બીજો ખાડો ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી પોલીસ શૈલેષનું સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ તેમને પહેલા ખાડા વિશે માલુમ પડ્યું જે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો, એવામાં તેમણે ફરિયાદ નોંધવાથી ઈનકાર કરી દીધો. શૈલેષે ફરિયાદ નોંધવા માટે કરેલી અરજીને અને FIRને બાદમાં ડભોડા પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.